આદિવાસી પટ્ટામાં ભાજપનો કેસરિયો : દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગજવી સભાઓ
મધ્ય ગુજરાત: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે દાહોદના છાપરી, પંચમહાલના ઘોઘંબા અને છોટાઉદેપુરના બોડેલી ખાતે વિરાટ જાહેરસભાઓને સંબોધિત કરી હતી. ભગવાન બિરસામુંડાના જયઘોષ સાથે તેમણે આદિવાસી સમાજના સ્વતંત્રતા સંગ્રામમાં અતુલનીય યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ૧૮૫૭ના સંગ્રામમાં અંગ્રેજોને હંફાવનાર આ વીર સમાજના સપનાઓને સાકાર કરવાનું કામ માત્ર ભાજપ સરકારે કર્યું છે. કોંગ્રેસના […]

