Tuesday, 1 September 2026
  • Home  
  • નડિયાદ લોક અદાલતમાં ઐતિહાસિક સિદ્ધિ, ૩૪ કરોડથી વધુની રકમનું સમાધાન, ૧૪ હજારથી વધુ કેસોનો નિકાલ
- ગુજરાત - મધ્ય ગુજરાત

નડિયાદ લોક અદાલતમાં ઐતિહાસિક સિદ્ધિ, ૩૪ કરોડથી વધુની રકમનું સમાધાન, ૧૪ હજારથી વધુ કેસોનો નિકાલ

નડિયાદ: રાષ્ટ્રીય અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર ૧૪ માર્ચ ૨૦૨૬ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ મુખ્ય મથક સહિત તમામ તાલુકા મથકોની કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત લાવી પક્ષકારો વચ્ચે કાયમી સમાધાન સાધવામાં આવ્યું હતું. લોક અદાલતમાં કુલ ૧૪,૪૫૩ કેસોનો નિકાલ કરવામાં […]

નડિયાદ: રાષ્ટ્રીય અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર ૧૪ માર્ચ ૨૦૨૬ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ મુખ્ય મથક સહિત તમામ તાલુકા મથકોની કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત લાવી પક્ષકારો વચ્ચે કાયમી સમાધાન સાધવામાં આવ્યું હતું. લોક અદાલતમાં કુલ ૧૪,૪૫૩ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજે ૩૪ કરોડથી વધુની માતબર રકમના સમાધાન થયા છે.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નડિયાદના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન. એ. અંજારીઆના સીધા માર્ગદર્શન હેઠળ આ આખી પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. પક્ષકારોને સમજાવવામાં આવ્યું હતું કે લોક અદાલતમાં થયેલા સમાધાન સામે અપીલની જરૂર રહેતી નથી અને તે ચુકાદો આખરી ગણાય છે. ઉપરાંત, કોર્ટ ફી પરત મળવાપાત્ર હોવાથી પક્ષકારોને આર્થિક ફાયદો પણ થાય છે.

નેશનલ લોક અદાલતના પરિણામો પર નજર કરીએ તો વિવિધ કેસોમાં થયેલા સમાધાન નીચે મુજબ છે:

અકસ્માત વળતર: ૨૩૨ કેસોમાં ૧૫ કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી હતી. એક વિશિષ્ટ કેસમાં મૃતકના પરિવારને ૩૭ લાખ રૂપિયાનું વળતર અપાયું હતું.

ચેક રિટર્ન: ૫૫૪ કેસોમાં ૧૨ કરોડથી વધુની રકમનું સમાધાન થયું.

વીજળી-પાણી બિલો: ૪૪૭ કેસોમાં ૧ કરોડથી વધુની રકમ પતાવવામાં આવી.

બેંક રિકવરી: ૨૨ કેસોમાં ૯૩ લાખ રૂપિયાનું સમાધાન થયું.

લગ્નવિષયક વિવાદો: ૫૩ દાવાઓમાં ૧૨ લાખ રુપિયા સાથે પક્ષકારો સંમત થયા હતા.

કોર્ટમાં પડતર ૫૦૭૭ પેન્ડિંગ કેસોની સાથે ૬૨૧ પ્રિલિટિગેશન કેસોનો પણ નિકાલ થયો હતો. ખાસ કરીને ટ્રાફિક નિયમોના ભંગને લગતા ૮૭૫૫ કેસોમાં કુલ ૬૮,૫૧,૪૫૦ રૂપિયાનો દંડ વસૂલી સરકારી તિજોરીમાં જમા કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશો, વકીલો, બેંક અને વીમા કંપનીના પ્રતિનિધિઓના સંયુક્ત પ્રયાસોથી વર્ષો જૂની કડવાશ દૂર કરી બંને પક્ષકારોના ઘરે ન્યાયનો દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic