સોમનાથના સાનિધ્યમાં ભક્તિનો મહાસાગર : શિવ આરાધનાના સૂરોએ શ્રદ્ધાળુઓને કર્યા મંત્રમુગ્ધ
સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના પ્રથમ દિવસે ભક્તિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં આયોજિત ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, ડૉ. પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. ઝગમગતી રોશનીથી ન્હાઈ ઉઠેલા સોમનાથ મંદિરના પટાંગણમાં દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. નામી કલાકારોએ રેલાવી […]
