સરદાર પટેલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા વિશેષ વ્યાખ્યાન
વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે એક વિશેષ વ્યાખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વામી વિવેકાનંદના તેજસ્વી વિચારો અને આદર્શોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો હતો. પૂર્વગ્રહ મુક્ત બની લક્ષ્ય પ્રાપ્ત કરો કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જાણીતા તત્વચિંતક અને […]
