કરૂર દુર્ઘટના પર અભિનેતા વિજયે તોડી ચૂપકીદી: ‘જીવનમાં ક્યારેય આટલી પીડાદાયક પરિસ્થિતિનો સામનો નથી કર્યો’
તમિલનાડુના કરૂરમાં તમિલગા વેટ્રી કઝગમ (TVK)ની તાજેતરમાં યોજાયેલી રેલીમાં થયેલી ભયંકર ભાગદોડની દુર્ઘટના પર પાર્ટીના વડા અને અભિનેતા વિજયે આખરે મૌન તોડ્યું છે. આ દુર્ઘટનામાં ૪૧ લોકોના કરુણ મોત થયાના બે દિવસ બાદ, મંગળવારે (૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫) અભિનેતા વિજયે પોતાની સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે પોતાના જીવનમાં ક્યારેય આટલી પીડાદાયક પરિસ્થિતિનો સામનો કર્યો નથી. […]

