નવી દિલ્હી: ભારતે આજે સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ દ્વારા ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ ઇન્ટરમીડિએટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-૫’નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે આ પરીક્ષણ દરમિયાન મિસાઈલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડો સફળતાપૂર્વક ચકાસવામાં આવ્યા હતા.
‘અગ્નિ-૫’ની રેન્જ ૫૦૦૦ કિલોમીટરથી વધુ છે, જે ભારતના વ્યૂહાત્મક અવરોધક ક્ષમતાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવે છે. આ મિસાઈલ ચીન સહિત એશિયાના મોટાભાગના વિસ્તારો અને યુરોપના કેટલાક ભાગોને તેની રેન્જમાં આવરી લે છે. આ સફળ પરીક્ષણ ભારતની સંરક્ષણ ક્ષમતામાં એક વિશાળ છલાંગ છે અને તે આત્મનિર્ભરતા તરફના ભારતના પ્રયાસોને દર્શાવે છે.
Successful test-firing of ‘Agni 5’ Intermediate Range Ballistic Missile
Intermediate Range Ballistic Missile ‘ #Agni5 ’ was successfully test-fired from the Integrated Test Range, Chandipur in #Odisha on 20 August 2025.
The launch validated all operational and technical… pic.twitter.com/01smxBBGNJ— PRO Defence, Manipur, Nagaland & South Arunachal (@prodefkohima) August 20, 2025
સંરક્ષણ મંત્રાલયે આ પરીક્ષણને ભારતીય સૈન્ય માટે એક ગૌરવશાળી ક્ષણ ગણાવી છે. આ મિસાઈલ સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડની દેખરેખ હેઠળ લોન્ચ કરવામાં આવી હતી, જે ભારતના પરમાણુ શસ્ત્રાગારનું સંચાલન કરે છે. ‘અગ્નિ-૫’નું સફળ પરીક્ષણ એ બતાવે છે કે ભારત પોતાના સંરક્ષણ માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ સિદ્ધિ પર દેશભરમાં ગૌરવની લાગણી ફેલાઈ છે અને તેને ‘જય હિંદ’ ના નારા સાથે આવકારવામાં આવી રહી છે.
