Monday, 31 August 2026
  • Home  
  • ગુજરાતમાં પ્રેમલગ્ન હવે નહીં રહે ‘ખાનગી’, માતા-પિતાની જાણકારી અને સહી થશે ફરજિયાત
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગુજરાતમાં પ્રેમલગ્ન હવે નહીં રહે ‘ખાનગી’, માતા-પિતાની જાણકારી અને સહી થશે ફરજિયાત

ગાંધીનગર: ગુજરાતમાં પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી અટકાવવા અને સામાજિક ગરિમા જાળવી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006’ માં મોટા સુધારા કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે થયેલી ગંભીર ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવાયો છે. પાટીદાર, ક્ષત્રિય અને […]

ગાંધીનગર: ગુજરાતમાં પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી અટકાવવા અને સામાજિક ગરિમા જાળવી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006’ માં મોટા સુધારા કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે થયેલી ગંભીર ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવાયો છે. પાટીદાર, ક્ષત્રિય અને ઠાકોર સમાજ જેવી વિવિધ સામાજિક સંસ્થાઓની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખી આ સુધારો અમલી બનાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચિત નિયમો મુજબ હવે લગ્ન નોંધણીની પ્રક્રિયા વધુ ચુસ્ત અને પારદર્શક બનશે:

માતા-પિતાની જાણકારી: લગ્ન કરનાર યુગલે અરજી સાથે ડિકલેરેશન આપવું પડશે કે તેમણે આ લગ્ન બાબતે પોતાના માતા-પિતાને જાણ કરી છે.

દસ્તાવેજોની પૂર્તતા: અરજી સાથે વર-વધૂ અને સાક્ષીઓના આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, લગ્નની કંકોત્રી અને વિધિ દર્શાવતા ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે.

માતા-પિતાની વિગતો: વર-વધૂએ પોતાના માતા-પિતાના આધાર કાર્ડ, પૂરા નામ, સરનામાં અને મોબાઈલ નંબરની વિગતો આપવી ફરજિયાત રહેશે.

નોટરાઈઝ્ડ અરજી: લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને સાક્ષીઓની સહી સાથે કાયદેસર રીતે નોટરાઈઝ્ડ કરાવીને રજૂ કરવાની રહેશે.

નવી પદ્ધતિ મુજબ, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અરજી મળ્યાના ૧૦ કામકાજના દિવસોમાં વર-વધૂના માતા-પિતાને ઇલેક્ટ્રોનિક અથવા ભૌતિક રીતે જાણ કરશે. તમામ વિગતોની ખાતરી અને પૂર્તતા થયાના ૩૦ દિવસ બાદ જ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. આ તમામ ડેટા સરકારના ઓનલાઇન પોર્ટલ પર સીરીયલ નંબર સાથે મૂકવામાં આવશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ સૂચિત સુધારા અંગે આગામી ૩૦ દિવસમાં સામાન્ય જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ સૂચનોના આધારે કાયદાને અંતિમ ઓપ આપવામાં આવશે. આ નિર્ણયને વિપક્ષી નેતાઓ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પણ આવકારી તેને વર્ષો જૂની પીડાનો અંત ગણાવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic