Tuesday, 1 September 2026
  • Home  
  • લોહગઢ ફોર્ટ ટ્રેકિંગ મર્ડર મિસ્ટ્રી : મંગેતર સિયા અને તેના પ્રેમીએ ઘડ્યું હતું કેતનની હત્યાનું ષડયંત્ર? ખૂલ્યો ભેદ
- દેશ-દુનિયા

લોહગઢ ફોર્ટ ટ્રેકિંગ મર્ડર મિસ્ટ્રી : મંગેતર સિયા અને તેના પ્રેમીએ ઘડ્યું હતું કેતનની હત્યાનું ષડયંત્ર? ખૂલ્યો ભેદ

પુણે: મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા (Lohagad Fort) પર ટ્રેકિંગ દરમિયાન થયેલા પુણેના ૨૬ વર્ષીય યુવા ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના મોતનો મામલો હવે એક ગંભીર અને સુઆયોજિત હત્યાકાંડમાં ફેરવાઈ ગયો છે. જેને શરૂઆતમાં માત્ર એક અકસ્માત ગણવામાં આવતો હતો, તે વાસ્તવમાં કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરી દ્વારા ઘડવામાં આવેલું એક ક્રૂર ષડયંત્ર હોવાનો […]

પુણે: મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા (Lohagad Fort) પર ટ્રેકિંગ દરમિયાન થયેલા પુણેના ૨૬ વર્ષીય યુવા ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના મોતનો મામલો હવે એક ગંભીર અને સુઆયોજિત હત્યાકાંડમાં ફેરવાઈ ગયો છે. જેને શરૂઆતમાં માત્ર એક અકસ્માત ગણવામાં આવતો હતો, તે વાસ્તવમાં કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરી દ્વારા ઘડવામાં આવેલું એક ક્રૂર ષડયંત્ર હોવાનો પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે. આ ઘટનાને પગલે કેતનના પરિવારે આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ કરી છે.

કેતનના પિતા વિશાલ અગ્રવાલે એક પ્રિન્ટ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં સિયા સાથે સગાઈ થયા બાદથી જ કેતન તેના વર્તનથી ચિંતિત હતો. કેતને તેના પરિવારને સિયાના બેકગ્રાઉન્ડની યોગ્ય તપાસ કરવા પણ કહ્યું હતું, કારણ કે બંને વચ્ચે નાની-નાની વાતોમાં ઝઘડા થતા હતા. સિયા સતત ફોન પર વ્યસ્ત રહેતી હતી અને કેતને ચેતન ચૌધરીનું નામ લઈને સિયા અને ચેતન વચ્ચે કોઈ સંબંધ હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી. પરિવારે લગ્ન લંબાવવાનું વિચાર્યું હતું, પરંતુ સિયાના માતા-પિતાના આગ્રહને કારણે તેઓ આગળ વધ્યા હતા.

પુણે ગ્રામીણ પોલીસના જણાવ્યા અનુસાર, ૧૮ જૂનના રોજ બનેલી આ ઘટનામાં લોહગઢ કિલ્લાના સીસીટીવી ફૂટેજ તપાસ દરમિયાન સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયા હતા.

  • શંકાસ્પદ હુડી: સીસીટીવીમાં જોવા મળ્યું કે કિલ્લા પર ૩૩ ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી હોવા છતાં એક શખ્સ હુડી (ટોપીવાળું જેકેટ) પહેરીને કેતન અને સિયાનો પીછો કરી રહ્યો હતો. આ શખ્સની ઓળખ પાછળથી ચેતન ચૌધરી તરીકે થઈ હતી.
  • અસામાન્ય હિલચાલ: ફૂટેજમાં સિયા વારંવાર પાછળ જોતી હતી અને પેલો હુડીવાળો શખ્સ અચાનક નીચે બેસી જતો હતો. સિયાએ શરૂઆતમાં પરિવારને એવું કહ્યું હતું કે કેતન ટ્રેકિંગ દરમિયાન લપસી પડ્યો હતો, પરંતુ સીસીટીવીની આ હિલચાલે પોલીસની શંકા દ્રઢ કરી દીધી.

પોલીસ તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે સિયા કેતનને વારંવાર લોહગઢ કિલ્લા પર આવવા માટે દબાણ કરતી હતી. ૧૮ જૂનની સક્સેસફુલ કાવતરા પહેલાં, ૧૪ જૂનના રોજ પણ કેતનને પહાડી પરથી ધક્કો મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, તે સમયે કેતને ઝાડી પકડી લેતા તેનો બચાવ થયો હતો. તે સમયે સિયાએ પોતે જ વાર્તા ઘડી કાઢી કે ત્યાં નજીકમાં સાપ હતો અને પોતે કેતનનો જીવ બચાવ્યો છે તેવો ઢોંગ કર્યો હતો.

અહેવાલો અનુસાર ટેકનિકલ એનાલિસિસ અને સાયબર સેલની તપાસમાં સિયા અને ચેતન ચૌધરી વચ્ચેના હજારો કોલ ડિટેલ્સ (CDR) મળી આવ્યા છે, જેમાં બંને કલાકો સુધી વાતો કરતા હતા. પૂછપરછ દરમિયાન ચેતને કબૂલ્યું હતું કે સિયા આ લગ્ન કરવા નહોતી માંગતી, પરંતુ પરિવારની બદનામીના ડરથી તે સગાઈ તોડીને ભાગવા પણ તૈયાર નહોતી. તેથી બંનેએ ભેગા મળીને કેતનને રસ્તામાંથી હટાવવાનું ઘાતકી પ્લાનિંગ કર્યું હતું.

પુણે ગ્રામીણ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સંદીપ સિંહ ગિલે મીડિયાને જણાવ્યું કે કેતન એક અનુભવી ટ્રેકર હતો, તેથી તેનું લપસી જવું શંકાસ્પદ લાગતું હતું. તમામ ડિજિટલ પુરાવા અને સાક્ષીઓના આધારે પોલીસે સિયા ગોયલ અને ચેતન ચૌધરીની ધરપકડ કરી લીધી છે અને કોર્ટે તેમને ૨૯ જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. કેતનની માતાએ આક્રોશ સાથે જણાવ્યું છે કે, “મારી દીકરાના મોત માટે સિયા અને તેનો બોયફ્રેન્ડ જ જવાબદાર છે, તેમણે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હું સરકાર પાસે બંને માટે ફાંસીની સજાની માંગ કરું છું.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic