Tuesday, 21 April 2026
  • Home  
  • સુરતના માંડવીમાં દીપડાનો આતંક: વરેઠ ગામે યુવાન પર પાછળથી હુમલો, સમગ્ર પંથકમાં ફફડાટ
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

સુરતના માંડવીમાં દીપડાનો આતંક: વરેઠ ગામે યુવાન પર પાછળથી હુમલો, સમગ્ર પંથકમાં ફફડાટ

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા ૭૨ કલાકમાં દીપડાએ પશુઓ બાદ હવે માનવ પર હુમલો કરવાનું શરૂ કરતા સમગ્ર પંથકમાં ભયનું મોજું ફરી વળ્યું છે. માંડવીના વરેઠ ગામે વહેલી સવારે બનેલી ઘટનાએ સ્થાનિકોની ઊંઘ ઉડાડી દીધી છે. વરેઠ ગામે યુવાન પર જીવલેણ હુમલો માંડવી તાલુકાના વરેઠ ગામે આજે […]

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા ૭૨ કલાકમાં દીપડાએ પશુઓ બાદ હવે માનવ પર હુમલો કરવાનું શરૂ કરતા સમગ્ર પંથકમાં ભયનું મોજું ફરી વળ્યું છે. માંડવીના વરેઠ ગામે વહેલી સવારે બનેલી ઘટનાએ સ્થાનિકોની ઊંઘ ઉડાડી દીધી છે.

માંડવી તાલુકાના વરેઠ ગામે આજે વહેલી સવારે યુવાન છનાભાઈ રાઠોડ કુદરતી હજાત માટે ગયા હતા. આ દરમિયાન ઝાડીઓમાં છુપાઈને બેઠેલા દીપડાએ અચાનક પાછળથી છનાભાઈ પર હુમલો કર્યો હતો. દીપડાએ પંજો મારતા યુવાનને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, હિંમત હાર્યા વગર યુવાને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેને પગલે દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. સદનસીબે છનાભાઈનો આબાદ બચાવ થયો છે, પરંતુ આ ઘટનાથી ગામમાં ભારે દહેશત ફેલાઈ છે.

માત્ર માનવ હુમલો જ નહીં, પણ દીપડાએ પશુધનને પણ મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે.

ગામતળાવ બુજરંગ: સીમ વિસ્તારમાં દીપડાએ એક ગાયનો શિકાર કર્યો છે.

કાછીયા બોરી: અહીં દીપડો રહેણાંક વિસ્તારમાં ઘુસી બે બકરીઓને મોતને ઘાટ ઉતારી દેતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે.

એક પછી એક બની રહેલી આ ઘટનાઓ બાદ ગ્રામજનો હવે રાત્રિના સમયે કે વહેલી સવારે ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. ખાસ કરીને ખેતરોમાં શેરડીની કાપણી ચાલતી હોવાથી મજૂરો અને ખેડૂતોના જીવ પણ જોખમમાં મુકાયા છે.

સ્થાનિકોમાં વન વિભાગ પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા હજુ સુધી દીપડાને પાંજરે પૂરવા માટે નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. લોકોએ માંગ કરી છે કે: ૧. આદમખોર બનેલા દીપડાને પકડવા માટે તાત્કાલિક અલગ-અલગ વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવે. ૨. વહેલી સવારે અને રાત્રિ દરમિયાન વન વિભાગની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે. ૩. દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે ટ્રેકર અને સીસીટીવીની મદદ લેવાય. જો વહેલી તકે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તંત્ર જાગશે નહીં, તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic