Tuesday, 1 September 2026
  • Home  
  • ગાંધીનગરના ધક્કા બંધ : પોલીસ કમિશનરથી લઈને PI સુધીના તમામ અધિકારીઓ માટે દરરોજ પ્રજાને સાંભળવું ફરજિયાત
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગાંધીનગરના ધક્કા બંધ : પોલીસ કમિશનરથી લઈને PI સુધીના તમામ અધિકારીઓ માટે દરરોજ પ્રજાને સાંભળવું ફરજિયાત

ગાંધીનગર: ગુજરાતના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક (જિલ્લા કે પોલીસ સ્ટેશન) કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા (DGP) જી.એસ. મલિક દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે. આ કડક આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસની કામગીરીને વધુ પ્રજાલક્ષી અને જવાબદાર બનાવવાનો છે, જેથી સામાન્ય અરજદારોને પોતાના […]

ગાંધીનગર: ગુજરાતના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક (જિલ્લા કે પોલીસ સ્ટેશન) કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા (DGP) જી.એસ. મલિક દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે. આ કડક આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસની કામગીરીને વધુ પ્રજાલક્ષી અને જવાબદાર બનાવવાનો છે, જેથી સામાન્ય અરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર, ડીજીપી કચેરી કે સચિવાલય સુધી લાંબા ન થવું પડે.

આ નવા કચેરી હુકમ અન્વયે હવેથી રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને છેક ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા પોલીસ સ્ટેશનના થાણા અમલદારો (PI/PSI) માટે સ્થાનિક સ્તરે જ પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે ફરજિયાત દરરોજ બે કલાક ફાળવવાનો આદેશ કરાયો છે.

રાજ્ય પોલીસ વડાએ વહીવટી સરળતા અને લોકઉપયોગી વ્યવસ્થા માટે અધિકારીઓ માટે અલગ-અલગ સમય નક્કી કર્યો છે:

૧. ઉચ્ચ પોલીસ અધિકારીઓ (CP, IG, SP રેન્ક)

  • નિયત સમય: દરરોજ સવારે ૧૨:૦૦ થી ૧૪:૦૦ કલાક (બે કલાક)
  • કોના માટે નિયમ: તમામ પોલીસ કમિશનરો, સંયુક્ત, અધિક, નાયબ કે મદદનીશ પોલીસ કમિશનરો (DCP/ACP), રેન્જ વડાઓ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકો (SP).
  • વૈકલ્પિક વ્યવસ્થા: જો કોઈ અનિવાર્ય વીઆઈપી બંદોબસ્ત કે મીટિંગના સંજોગોમાં મુખ્ય અધિકારી હાજર ન રહી શકે, તો કચેરીના સિનિયર અધિકારી અથવા રીડર દ્વારા અરજદારોની રજૂઆતો સાંભળીને અરજી મેળવવાની રહેશે, જેથી અરજદારોને કચેરીએથી ખાલી હાથે પરત ન ફરવું પડે.

૨. સ્થાનિક પોલીસ સ્ટેશનના થાણા અમલદારો (PI/PSI)

પોલીસ ઇન્સ્પેક્ટરો સામાન્ય રીતે સવારના સમયે કોર્ટની મુદત, તપાસ કે સોગંદનામાની કામગીરીમાં વ્યસ્ત રહેતા હોવાથી તેમના માટે સાંજનો સમય નક્કી કરાયો છે.

  • નિયત સમય: દરરોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક (બે કલાક)
  • નિયમ: તમામ પીઆઈ અને પીએસઆઈ એ પોતાના પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહીને મુલાકાતીઓને રૂબરૂ મળવાનું રહેશે અને લેખિત અરજી સ્વીકારી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.

DGP જી.એસ. મલિકે માત્ર પ્રજાને સાંભળવાનો આદેશ નથી આપ્યો, પરંતુ અરજીઓ પર તટસ્થ તપાસ કરીને તેના નિકાલ માટે પણ કડક સમયમર્યાદા (Deadline) નક્કી કરી દીધી છે:

અરજીનો પ્રકારનિકાલ માટેની મહત્તમ સમયમર્યાદા
સામાન્ય/અન્ય તમામ પ્રકારની અરજીઓવધુમાં વધુ ૧૫ દિવસ (૧૫ Days)
આર્થિક ગુનાઓ (Economic Offences)૬ અઠવાડિયા (૪૨ દિવસ)
વૈવાહિક કે પારિવારિક વિવાદો૬ અઠવાડિયા (૪૨ દિવસ)
તબીબી બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો૬ અઠવાડિયા (૪૨ દિવસ)

વહીવટી પારદર્શિતા માટે રજૂઆત કરવા આવતા દરેક અરજદારોની વિગતો રાખવા માટે દરેક કચેરીમાં એક સ્પેશિયલ ‘નિયત રજિસ્ટર’ રાખવાની પણ સૂચના અપાઈ છે. અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન જો કોઈ પણ સંજ્ઞેય (Cognizable) ગુનો બન્યો હોવાનું માલૂમ પડશે, તો તે અંગે પોલીસ સ્ટેશને કોઈ પણ પ્રકારના વિલંબ વિના તાત્કાલિક અસરથી FIR (પ્રાથમિક ફરિયાદ) નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવી પડશે. ડીજીપીના આ પ્રજાલક્ષી આદેશથી સમગ્ર ગુજરાત પોલીસ તંત્રમાં શિસ્ત અને કામગીરીમાં ભારે ગતિશીલતા આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic