અમરેલી પંથકમાં મધરાતે ધરા ધ્રૂજી, 3.7ની તીવ્રતાના ભૂકંપથી રાજુલામાં મકાનોમાં પડી તિરાડો
અમરેલી : સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કુદરતી આફતનો સિલસિલો યથાવત છે. સતત ત્રણ દિવસથી ધ્રૂજી રહેલી અમરેલીની ધરાએ આજે મધરાતે ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. રાત્રિના 2:24 મિનિટે રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા સહિતના દરિયાકાંઠાના પંથકમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર આ આંચકાની તીવ્રતા 3.7ની નોંધાઈ છે. મહુવા પાસે નોંધાયું કેન્દ્રબિંદુ […]

