ખેડૂતો માટે મુખ્યમંત્રીની મોટી ભેટ : વારસાઈ જમીનમાં સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અને ગણોતિયાઓને માલિકી હકની તક
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો અને સામાન્ય જનતા માટે બે અત્યંત મહત્વપૂર્ણ અને પ્રજાહિતકારી નિર્ણયોની જાહેરાત કરી છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, સરકારે ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત આપી છે. હવે આવા કિસ્સાઓમાં જંત્રી મુજબની લાખોની સ્ટેમ્પ ડ્યુટી ભરવાને બદલે […]

