નવરાત્રીમાં વરસાદી માહોલ : બેવડી ઋતુમાં સ્વાસ્થ્ય જાળવવા માટેની અસરકારક ટિપ્સ
હાલમાં ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં નવરાત્રીના ઉત્સવની સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ અણધાર્યા વરસાદ અને બેવડી ઋતુ (ગરમી અને ઠંડીનો મિશ્ર અનુભવ)ને કારણે વાતાવરણમાં ભેજ વધ્યો છે, જેના લીધે શરદી, ઉધરસ, તાવ, અને પેટના રોગો જેવી બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. નવરાત્રીમાં ગરબાનો થાક અને ખાણી-પીણીમાં બેદરકારી પણ સ્વાસ્થ્ય બગાડી શકે છે. […]


