Monday, 31 August 2026
  • Home  
  • વડનગરના વારસાને મળ્યા નવીન પંખ : GSFC અને પ્રવાસન વિભાગનો નવતર પ્રયોગ, ‘હેરિટેજ લુક’ સાથે રોડ પર દોડશે ઑટો રિક્ષાઓ
- ઉત્તર ગુજરાત - ગુજરાત

વડનગરના વારસાને મળ્યા નવીન પંખ : GSFC અને પ્રવાસન વિભાગનો નવતર પ્રયોગ, ‘હેરિટેજ લુક’ સાથે રોડ પર દોડશે ઑટો રિક્ષાઓ

વડનગર: ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર સમાન પ્રાચીન નગરી વડનગરને વિશ્વસ્તરીય પ્રવાસન ધામ તરીકે વિકસાવવાના રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોમાં હવે રાજ્યના જાહેર સાહસો (PSU) પણ સક્રિય ભાગીદાર બન્યા છે. વડનગરમાં આવતા દેશ-વિદેશના સહેલાણીઓ સામે શહેરની એક અનોખી ‘યુનિક આઇડેન્ટિટી’ ઊભી કરવા માટે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની (GSFC) દ્વારા તેના CSR ફંડમાંથી એક વિશેષ અને અનોખો ‘વડનગર […]

વડનગર: ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર સમાન પ્રાચીન નગરી વડનગરને વિશ્વસ્તરીય પ્રવાસન ધામ તરીકે વિકસાવવાના રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોમાં હવે રાજ્યના જાહેર સાહસો (PSU) પણ સક્રિય ભાગીદાર બન્યા છે. વડનગરમાં આવતા દેશ-વિદેશના સહેલાણીઓ સામે શહેરની એક અનોખી ‘યુનિક આઇડેન્ટિટી’ ઊભી કરવા માટે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની (GSFC) દ્વારા તેના CSR ફંડમાંથી એક વિશેષ અને અનોખો ‘વડનગર હેરિટેજ ઑટો પ્રોજેક્ટ’ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સ્થાનિક જૂની ઑટો રિક્ષાઓનું રિટ્રોફિટમેન્ટ કરીને તેમને શહેરના સમૃદ્ધ વારસા અને ઈતિહાસની ઝાંખી કરાવતો આકર્ષક રોયલ ‘ન્યૂ લુક’ આપવામાં આવી રહ્યો છે.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે રાજ્યના પ્રવાસન વિભાગ અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા જરૂરી તમામ લોજિસ્ટિક સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે. સરકાર અને રાજ્યના જાહેર સાહસના આ સંયુક્ત પ્રયાસથી વડનગરમાં આવતા પ્રવાસીઓને સ્થાનિક ઐતિહાસિક સ્થળોની મુલાકાત દરમિયાન સંસ્કૃતિ અને ઈતિહાસનો અનોખો જીવંત અનુભવ મળશે.

વડનગરમાં હાલ ૩૦૦થી વધુ નોંધાયેલી ઑટો રિક્ષાઓ છે. સ્થાનિક રિક્ષાચાલકોની રોજીરોટીમાં વધારો થાય અને પર્યટકો માટે મુસાફરી વધુ યાદગાર બને તે આશયથી GSFC દ્વારા CSR ફંડમાંથી પ્રતિ રિક્ષા રૂ. ૫૦,૦૦૦ થી વધુનો ખર્ચ કરીને વાહનોનું મોડિફિકેશન કરવામાં આવી રહ્યું છે.

  • પ્રથમ તબક્કો સફળ: પ્રથમ તબક્કામાં ૨૧ રિક્ષાચાલકોએ નોંધણી કરાવી હતી, જેમના વાહનોનું હેરિટેજ નવીનીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
  • નોંધણી પ્રક્રિયા ચાલુ: અન્ય રિક્ષાચાલકો પણ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે હજુ પણ રજીસ્ટ્રેશન ચાલુ છે.

જે રિક્ષાચાલકો પોતાની રિક્ષાને વડનગરના વારસાને દર્શાવતો નવો ઐતિહાસિક લુક આપવા માંગતા હોય, તેઓ વડનગર એસ.ટી. ડેપો ખાતે GSFC ના પ્રતિનિધિનો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને આ યોજનાનો લાભ મેળવી શકે છે.

રાજ્ય સરકાર અને GSFC ના આ નવતર પ્રયોગથી વડનગરના પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈઓ મળશે. સહેલાણીઓ માટે હેરિટેજ રિક્ષામાં બેસીને તાના-રીરી સમાધિ, કીર્તિ તોરણ અને પ્રાચીન મ્યુઝિયમ જેવા સ્થળોની મુલાકાત લેવી એક આકર્ષક અનુભવ બની રહેશે. આ ઉપરાંત, સ્થાનિક રિક્ષાચાલકોની આવકમાં વધારો થતાં તેમની આર્થિક સ્થિતિ પણ વધુ મજબૂત બનશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic