Thursday, 11 June 2026

Tag: Gujarat tourism

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

‘વિકાસ ભી, વિરાસત ભી’ : ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૧૬ લાખથી વધુ પ્રવાસીઓએ ડિજિટલ મ્યુઝિયમ્સ નિહાળ્યા

ગાંધીનગર: ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડો. પંકજ શર્માએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં જ ૧૬ લાખથી વધુ નાગરિકો અને પ્રવાસીઓએ વિવિધ મ્યુઝિયમ (સંગ્રહાલય) ની મુલાકાત લીધી છે. ગુજરાતે અભૂતપૂર્વ આર્થિક વિકાસ સાધવાની સાથે પોતાની પુરાતન ઐતિહાસિક અસ્મિતાને પણ ગૌરવભેર જાળવી […]

ગુજરાત દેશ-દુનિયા સૌરાષ્ટ્ર

શૌર્યાભિષેક : સોમનાથના આકાશમાં વાયુસેનાના વિમાનોની ગર્જના, ૧૧મીએ ભવ્ય એર શો!

વેરાવળ: સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત આવતીકાલે પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે શૌર્ય અને શ્રદ્ધાનો અદભૂત સંગમ જોવા મળશે. ૧૧મી મેના રોજ સવારે ૧૧ કલાકે ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા સોમનાથના આકાશમાં સાહસિક હવાઈ કરતબો રજૂ કરવામાં આવશે. આજે યોજાયેલા રિહર્સલમાં જ વાયુસેનાના પાયલટોએ દરિયાકિનારે હજારો લોકોના […]

ઉત્તર ગુજરાત ગુજરાત

શ્વાસ થંભાવી દે તેવા દ્રશ્યો : મહેસાણાના વાલમ ગામે પાંડવોની યાદમાં ઉજવાયો અનોખો મેળો

મહેસાણા: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલું વાલમ ગામ આજે ફરી એકવાર 600 વર્ષ જૂની અનોખી પરંપરાનું સાક્ષી બન્યું છે. ચૈત્ર વદ નોમ અને દશમના પવિત્ર દિવસોમાં અહીં ઉજવાતો ‘હાથિયા ઠાઠુ’ ઉત્સવ માત્ર એક મેળો નથી, પરંતુ ગ્રામજનોની અસ્મિતા, શ્રદ્ધા અને અતૂટ સંસ્કૃતિનું પ્રતીક છે. આ દિલધડક મહોત્સવને જોવા માટે માત્ર ગુજરાત જ નહીં, […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

International Day of Forests 2026 : સુરેન્દ્રનગર જિલ્લાના બે અનોખા સાંસ્કૃતિક વનો પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ

સુરેન્દ્રનગર: આજે ૨૧મી માર્ચ એટલે કે ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’. સમગ્ર વિશ્વમાં વનોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને જંગલોના સંરક્ષણ માટે લોકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે આ દિવસની થીમ ‘જંગલો અને અર્થતંત્ર’ (Forests and Economies) રાખવામાં આવી છે. આ થીમ આર્થિક સમૃદ્ધિ, ટકાઉ વિકાસ અને માનવ જીવનના ભરણપોષણમાં […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નમામિ દેવી નર્મદે : શ્રદ્ધાના ઘોડાપૂર સાથે ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા’નો મંગલ પ્રારંભ

નર્મદા: ‘નર્મદે સર્વદે’ અને ‘નમામિ દેવી નર્મદે’ના ગુંજારવ સાથે આજથી પવિત્ર ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા’નો દિવ્ય પ્રારંભ થયો છે. પુરાણોમાં નર્મદા મૈયાના દર્શન માત્રથી પાપોનું નિવારણ થતું હોવાનું માહાત્મ્ય છે, ત્યારે ચૈત્ર માસના આ પવિત્ર અવસરે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ નર્મદા સ્નાન કરી, માતા નર્મદા અને ભગવાન રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી છે. ૧૯ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

આજથી શક્તિની આરાધનાના પર્વનો પ્રારંભ, વડોદરા સહિતના માઈ મંદિરોમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું

વડોદરા: આજથી આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ ‘ચૈત્રી નવરાત્રી’નો મંગલ પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ ગુજરાતના ખૂણેખૂણે આવેલા માઈ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ‘બોલ માડી અંબે.. જય જય અંબે’ ના જયઘોષ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા. ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. શક્તિપીઠો પર ભક્તોની ભારે ભીડ ચૈત્રી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026 : શ્રદ્ધાળુઓની સુવિધા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સજ્જ

નર્મદા: ચૈત્ર માસમાં યોજાતી પવિત્ર ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026’ ને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી આવતા લાખો પરિક્રમાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આધુનિક સુવિધાઓનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સુવ્યવસ્થિત આયોજનને કારણે દર વર્ષે […]

ઉત્તર ગુજરાત ગુજરાત

શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શનના સમયથી લઈ પ્રસાદ બુકિંગ સુધીની વિગતો હવે મોબાઈલમાં, મોબાઈલ એપ લોન્ચ કરાઈ લોન્ચ

અંબાજી: બનાસકાંઠા જિલ્લામાં આવેલું આદ્યશક્તિનું પવિત્ર ધામ અંબાજી હવે આધુનિકતાના રંગે રંગાયું છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી મંદિર હવે ભક્તો માટે ડિજિટલ બન્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે એક અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા ભક્તોને હવે એક જ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગિરનારની ગોદમાં ગુંજશે હર હર મહાદેવ : ભવનાથના મિની કુંભ ‘મહાશિવરાત્રી મેળા’નો પ્રારંભ

જૂનાગઢ: પવિત્ર ગિરનારની તળેટી અને ભવનાથના ક્ષેત્રમાં આજથી તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળા’નો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે મેળાની વિધિવત શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે અભૂતપૂર્વ […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદને મળશે નવી ઓળખ : મનપા દ્વારા બોરસદ ચોકડી બ્રિજ નીચે ‘કોસમોસ વેલી’ ફલાવર શોનું આયોજન

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે મનોરંજન અને પ્રકૃતિના સાનિધ્યનો એક સુંદર સમન્વય તૈયાર કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરની વ્યસ્ત એવી બોરસદ ચોકડી ખાતે ઓવરબ્રિજની નીચે ખાલી પડેલી જગ્યામાં ‘કોસમોસ વેલી’ (ફલાવર શો) નું અત્યંત મનોહર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન હવે ટૂંક સમયમાં જ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic