Tuesday, 1 September 2026
  • Home  
  • યુવાનોનું નેતૃત્વ હવે વડોદરાના હાથમાં, સાંસદ ડૉ. હેમાંગ જોશી બન્યા ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ
- ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત

યુવાનોનું નેતૃત્વ હવે વડોદરાના હાથમાં, સાંસદ ડૉ. હેમાંગ જોશી બન્યા ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ

વડોદરા: ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન દ્વારા પાર્ટીની નવી રાષ્ટ્રીય કારોબારી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં સંસ્કારી નગરી વડોદરાના લોકસભા સાંસદ ડૉ. હેમાંગ જોશીને ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની મોટી અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાંથી ડૉ. હેમાંગ જોશી ઉપરાંત અન્ય અગ્રણી […]

વડોદરા: ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન દ્વારા પાર્ટીની નવી રાષ્ટ્રીય કારોબારી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં સંસ્કારી નગરી વડોદરાના લોકસભા સાંસદ ડૉ. હેમાંગ જોશીને ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની મોટી અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાંથી ડૉ. હેમાંગ જોશી ઉપરાંત અન્ય અગ્રણી નેતાઓને પણ રાષ્ટ્રીય કક્ષાની ટીમમાં મહત્વના હોદ્દાઓ આપીને રાજ્યનું પ્રતિનિધિત્વ મજબૂત કરવામાં આવ્યું છે.

પાર્ટી અધ્યક્ષ નિતિન નબીન દ્વારા જાહેર કરાયેલા નવા સંગઠનમાં ગુજરાતના નેતાઓને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે:

  • ડૉ. હેમાંગ જોશી: રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય જનતા યુવા મોરચા (BJYM).
  • વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી: રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ.
  • જગદીશ ઈશ્વરભાઈ પટેલ: રાષ્ટ્રીય મંત્રી.
  • રોહન ગુપ્તા: રાષ્ટ્રીય મંત્રી.

પાર્ટીએ બી. એલ. સંતોષ ને રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) તરીકે યથાવત રાખ્યા છે. જ્યારે શિવપ્રકાશ અને સદાનંદ સિંહને રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ૮ રાષ્ટ્રીય મહામંત્રીઓની યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવ, વિનોદ તાવડે, સુનિલ બંસલ, સતીશ પુનિયા, ગજેન્દ્ર પટેલ, હરીશ દ્વિવેદી અને સંજય ભાટિયાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને રાષ્ટ્રીય ખજાનચી (ટ્રેઝરર) બનાવવામાં આવ્યા છે.

પાર્ટી સંગઠનના વિવિધ મોરચાઓ માટે પણ નવા વડાઓની નિમણૂક કરવામાં આવી છે:

મોરચોનવા રાષ્ટ્રીય અધ્યક્ષ
મહિલા મોરચોરૂ૫ કુમારી ચૌધરી
ઓબીસી (OBC) મોરચોઅમરપાલ મૌર્યા
કિસાન મોરચોબંસીલાલ ગુર્જર
એસસી (SC) મોરચોશિવેશ કુમાર રામ
એસટી (ST) મોરચોડૉ. મન્નાલાલ રાવત
અલ્પસંખ્યક (Minority) મોરચોકુંવર બાસિત અલી

મીડિયા અને સોશિયલ મીડિયા ટીમમાં પણ નવા કન્વીનરો નિમાયા છે, જેમાં અનિલ બલૂનીને મીડિયા કન્વીનર અને દીપક મ્હાસ્કેને સોશિયલ મીડિયા કન્વીનર તરીકેની જવાબદારી સોંપાઈ છે. પાર્ટી અધ્યક્ષ નિતિન નબીનના નેતૃત્વ હેઠળ આ તમામ નવા હોદ્દેદારો તાત્કાલિક અસરથી પોતાની જવાબદારીઓ સંભાળી લેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic