જમ્મુ અને કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાની (cloudburst) ગંભીર ઘટના બાદ રાજ્યમાં શોકનો માહોલ છે. આ દુર્ઘટનામાં થયેલા જાનહાનિને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આવતીકાલે સાંજે યોજાનારી ‘એટ હોમ’ ટી પાર્ટી રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મોકૂફ રાખવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે કહ્યું, “કિશ્તવાડમાં વાદળ ફાટવાથી થયેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને મેં આવતીકાલે સાંજે ‘એટ હોમ’ ટી પાર્ટી રદ કરવાનો નિર્ણય લીધો છે. અમે સવારના સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આગળ નહીં વધારવાનું નક્કી કર્યું છે. જોકે, ઔપચારિક કાર્યક્રમો જેવા કે ભાષણ, માર્ચ પાસ્ટ વગેરે આયોજન મુજબ ચાલુ રહેશે.”
In light of the tragedy caused by the cloud burst in Kishtwar I have taken the decision to cancel the “At Home” tea party tomorrow evening. We have also decided not to go ahead with the cultural events during the morning Independence Day celebrations. The formal events – speech,…— Omar Abdullah (@OmarAbdullah) August 14, 2025
પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી સંવેદના
આ ગંભીર પરિસ્થિતિને લઈને દેશના ટોચના નેતાઓએ પણ પોતાની સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું, “જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવા અને પૂરથી અસરગ્રસ્ત તમામ લોકો સાથે મારા વિચારો અને પ્રાર્થનાઓ છે. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. જરૂરિયાતમંદોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.”
My thoughts and prayers are with all those affected by the cloudburst and flooding in Kishtwar, Jammu and Kashmir. The situation is being monitored closely. Rescue and relief operations are underway. Every possible assistance will be provided to those in need.— Narendra Modi (@narendramodi) August 14, 2025
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું, “જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટનામાં અનેક લોકોના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું અને રાહત તથા બચાવ કાર્યમાં સફળતાની કામના કરું છું.”
जम्मू-कश्मीर के किश्तवाड़ में बादल फटने की घटना में कई लोगों की मृत्यु का समाचार अत्यंत दुःखद है। मैं शोकाकुल परिवारों के प्रति हार्दिक संवेदना व्यक्त करती हूं और राहत तथा बचाव कार्य में सफलता की कामना करती हूं।— President of India (@rashtrapatibhvn) August 14, 2025
બચાવ કાર્ય અને હેલ્પ ડેસ્ક
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ અસરગ્રસ્તોની મદદ માટે હેલ્પ ડેસ્ક અને કંટ્રોલ રૂમ નંબર જાહેર કર્યા છે, જેથી લોકોને તાત્કાલિક સહાય મળી શકે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી શકાય. આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે કુદરતી આફતો સામે માનવ જીવન કેટલું લાચાર છે, પરંતુ સરકાર અને લોકો એક થઈને તેનો સામનો કરવા માટે કટિબદ્ધ છે.
Help Desk/Control Numbers. pic.twitter.com/3Unl1Lfphg— Omar Abdullah (@OmarAbdullah) August 14, 2025
