નવમીના પવિત્ર દિવસે નર્મદા જળના વધામણાં : સરદાર સરોવર ડેમ ૬ઠ્ઠી વખત પૂર્ણ સપાટીએ છલકાયો
એકતા નગર: ગુજરાતની જળક્રાંતિ અને કૃષિક્રાંતિની લાઈફ લાઈન સમાન નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ ફરી એકવાર તેની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફૂટ) પર પહોંચીને છલકાયો છે. જગત જનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતા નગર ખાતે પહોંચીને લોકમાતા નર્મદાના પાવન જળનું પૂજન અને વધામણાં કર્યા હતા. વડાપ્રધાન […]









