Wednesday, 2 September 2026
  • Home  
  • GPSCની પરીક્ષામાં અસફળ રહેલા ૧૮,૦૦૦થી વધુ તેજસ્વી ઉમેદવારો માટે ખુલશે મોટી નોકરીઓના દ્વાર, લોન્ચ થયું ક્રાંતિકારી ‘અવસર’ મોડ્યૂલ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

GPSCની પરીક્ષામાં અસફળ રહેલા ૧૮,૦૦૦થી વધુ તેજસ્વી ઉમેદવારો માટે ખુલશે મોટી નોકરીઓના દ્વાર, લોન્ચ થયું ક્રાંતિકારી ‘અવસર’ મોડ્યૂલ

ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા રાજ્યના લાખો યુવાનોના હિતમાં એક અભૂતપૂર્વ અને કલ્યાણકારી નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી ભરતી પ્રક્રિયાના આખરી પરિણામોમાં થોડા માર્ક્સ માટે રહી જતા અથવા પ્રતીક્ષાયાદી (Waiting List) માં સ્થાન મેળવનારા તેજસ્વી ઉમેદવારો હવે બેરોજગાર નહીં રહે. આવા હોંશિયાર યુવાનોને પ્રતિષ્ઠિત સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં રોજગારીની […]

ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા રાજ્યના લાખો યુવાનોના હિતમાં એક અભૂતપૂર્વ અને કલ્યાણકારી નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી ભરતી પ્રક્રિયાના આખરી પરિણામોમાં થોડા માર્ક્સ માટે રહી જતા અથવા પ્રતીક્ષાયાદી (Waiting List) માં સ્થાન મેળવનારા તેજસ્વી ઉમેદવારો હવે બેરોજગાર નહીં રહે. આવા હોંશિયાર યુવાનોને પ્રતિષ્ઠિત સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવા માટે આયોગ દ્વારા એક વિશેષ ‘અવસર’ (Avsar) મોડ્યૂલ વિકસાવવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત એક અખબારી પરિષદમાં GPSCના સચિવ સુધીર પટેલે આ મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી પહેલની સત્તાવાર જાહેરાત કરી હતી.

GPSCના સચિવ સુધીર પટેલે આ યોજનાની પૂર્વભૂમિકા આપતા જણાવ્યું હતું કે, જીપીએસસીની વર્ગ-૧ અને વર્ગ-૨ ની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રિલિમ્સ અને મેઈન્સ જેવી અત્યંત અઘરી પરીક્ષાઓ પાસ કરીને આવ્યા હોય છે. આ ઉમેદવારો આખરી પરિણામમાં ભલે અસફળ રહ્યા હોય, પરંતુ તેઓ વહીવટી અને ટેકનિકલ દ્રષ્ટિએ અત્યંત તેજસ્વી, મહેનતુ અને સક્ષમ હોય છે.

બીજી તરફ, ગુજરાત અને ભારત સરકારના જાહેર સાહસો (PSUs), સહકારી વિભાગો અને પ્રતિષ્ઠિત ખાનગી કંપનીઓને આવા કુશળ મેનપાવરની જરૂર હોય છે. આ તેજસ્વી ઉમેદવારો અને રોજગારી આપતી સંસ્થાઓ વચ્ચે સેતુરૂપ (મધ્યસ્થી) ભૂમિકા ભજવવા માટે જ આ ‘અવસર’ મોડ્યૂલ શરૂ કરાયું છે.

આ યોજનાના કાયદાકીય માળખા અને વ્યાપ અંગે સચિવએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે:

  • ભૂતકાળની ભરતીઓનો સમાવેશ: છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે તા. ૧ જુલાઇ, ૨૦૨૬ પહેલાં પૂર્ણ થયેલી વર્ગ-૧ અને વર્ગ-૨ ની ૪૧૫ થી વધુ ભરતીઓના પરિણામોનો આમાં સમાવેશ કરાયો છે.
  • ૧૮,૦૦0+ પાત્ર ઉમેદવારો: આ ૪૧૫ ભરતીઓના આખરી પરિણામમાં અસફળ રહેલા કે પ્રતીક્ષાયાદીમાં સામેલ ૧૮,૦૦0 કરતાં પણ વધુ ઉમેદવારો આ પ્લેટફોર્મ પર અરજી કરવા માટે લાયક ઠરશે.
  • કેડર વાઇઝ ડેટાબેઝ: આયોગ દ્વારા ઉમેદવારોની યોગ્યતાના આધારે વહીવટી, તબીબી (મેડિકલ), શૈક્ષણિક અને ટેકનિકલ કેડર મુજબનો એક મજબૂત ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે.

આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારની પોતાની સ્વેચ્છિક અને પૂર્વ સંમતિ હોવી અનિવાર્ય છે. ડેટા સબમિટ કરવાની સરળ પ્રક્રિયા નીચે મુજબ છે:

૧. પોર્ટલની મુલાકાત: સૌ પ્રથમ ઉમેદવારે સત્તાવાર GPSC Ojas Portal (https://gpsc-ojas.gujarat.gov.in/) પર જવાનું રહેશે.

૨. ‘અવસર’ મોડ્યૂલ પસંદગી: પોર્ટોલ પર આપેલા “અવસર” મોડ્યૂલ લિંક પર ક્લિક કરવાનું રહેશે.

૩. વિગતો દાખલ કરવી: ઉમેદવારે પોતાની જાહેરાતનું વર્ષ, જાહેરાત ક્રમાંક અને કન્ફર્મેશન નંબર આપવાનો રહેશે. (જો કોઈ ઉમેદવાર કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય, તો તે મેળવવાની સુવિધા પણ પોર્ટલ પર છે).

૪. સુરક્ષિત OTP વેરિફિકેશન: સુરક્ષાના ચુસ્ત ભાગરૂપે, ઉમેદવારના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી પર એક ઓટીપી (OTP) મોકલવામાં આવશે. આ ઓટીપી દાખલ કર્યા બાદ જ સંમતિની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થશે.

ભવિષ્યની ભરતીઓ માટે નોંધ: આગામી સમયમાં આવનારી નવીન સરકારી જાહેરાતોમાં ઉમેદવારો જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશે, ત્યારે જ ફોર્મની અંદર આ ‘અવસર’ મોડ્યૂલ માટે સંમતિ આપવાનો વિકલ્પ (Checkbox) આપી દેવામાં આવશે.

૧. માહિતીની સંપૂર્ણ સુરક્ષા (Data Privacy)

માહિતીની સુરક્ષા બાબતે આયોગ અત્યંત કડક વલણ ધરાવે છે. માન્યતા પ્રાપ્ત કંપનીઓ કે જાહેર સાહસો સાથે માત્ર ઉમેદવારનું નામ, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી અને શૈક્ષણિક લાયકાત જ શેર કરવામાં આવશે. જે તે સંસ્થાએ આયોગને લેખિત બાંહેધરી આપવી પડશે કે તેઓ આ ડેટાનો ઉપયોગ માત્ર રોજગારી આપવા સિવાય અન્ય કોઈ વ્યાપારી હેતુ માટે કરશે નહીં.

૨. આયોગ માત્ર એક ‘માધ્યમ’ (Mediator)

સચિવ સુધીર પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, આ પ્લેટફોર્મ અંતર્ગત GPSC માત્ર એક કનેક્ટિંગ ‘માધ્યમ’ તરીકે કાર્ય કરી રહ્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા ખાનગી કે જાહેર ક્ષેત્રમાં મળનારી નોકરીની શરતો, નક્કી થનારું વેતન ધોરણ, સેવા નિયમો કે ભવિષ્યના કોઈપણ કાનૂની વિવાદો બાબતે આયોગની કોઈ સત્તાવાર, નૈતિક કે કાનૂની જવાબદારી રહેશે નહીં. સંસ્થાઓ પોતાની આંતરિક ભરતી પ્રક્રિયા કે ઈન્ટરવ્યૂ યોજીને ઉમેદવારની આખરી પસંદગી કરવા માટે મુક્ત રહેશે.

આ સંવેદનશીલ પહેલથી ગુજરાતના હજારો શિક્ષિત અને તેજસ્વી યુવાનોને બેરોજગારીના ચિંતાજનક સમયમાં આર્થિક અને સામાજિક સ્તરે એક નવો ‘અવસર’ અને આશાનું કિરણ મળશે તે ચોક્કસ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic