બાલાસિનોરમાં રોગચાળો વકરતા તંત્ર એક્શનમાં: ૬૦૦ મીટર નવી પાઈપલાઈન નાખવાનું કામ શરૂ
બાલાસિનોર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચકતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ દ્વારા આ પરિસ્થિતિને નાથવા માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, રોગચાળાના મૂળ સમાન જર્જરિત પાઈપલાઈનોને બદલવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી […]
