‘જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ’: મુખ્યમંત્રી અંબાજીથી કરાવશે રથયાત્રાનો પ્રારંભ
ગુજરાત રાજ્યમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે, રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ૭ થી ૧૩ નવેમ્બર સુધી ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કરાવશે રથયાત્રાનો પ્રારંભ રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન આવતીકાલે, ૭ નવેમ્બરના રોજ અંબાજી ખાતે કરવામાં આવ્યું […]
