Thursday, 11 June 2026
  • Home  
  • ‘જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ’: મુખ્યમંત્રી અંબાજીથી કરાવશે રથયાત્રાનો પ્રારંભ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

‘જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ’: મુખ્યમંત્રી અંબાજીથી કરાવશે રથયાત્રાનો પ્રારંભ

ગુજરાત રાજ્યમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે, રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ૭ થી ૧૩ નવેમ્બર સુધી ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કરાવશે રથયાત્રાનો પ્રારંભ રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન આવતીકાલે, ૭ નવેમ્બરના રોજ અંબાજી ખાતે કરવામાં આવ્યું […]

ગુજરાત રાજ્યમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે, રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ૭ થી ૧૩ નવેમ્બર સુધી ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન આવતીકાલે, ૭ નવેમ્બરના રોજ અંબાજી ખાતે કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી અંબાજી ખાતેથી જ જનજાતીય ગૌરવ રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અને તૈયારીઓને લઈને મંત્રી પૂનમચંદ બરંડાના અધ્યક્ષસ્થાને બેઠક પણ યોજાઈ હતી.

રાજ્ય સરકાર દ્વારા કુલ ૧,૩૭૮ કિલોમીટરની ‘જનજાતીય ગૌરવ રથ યાત્રા’નું આયોજન બે મુખ્ય રૂટ પર કરવામાં આવ્યું છે, જે બંને રૂટ એકતાનગર ખાતે સમાપ્ત થશે:

ઉમરગામથી એકતાનગર (Umargam to Ekta Nagar)

અંબાજીથી એકતાનગર (Ambaji to Ekta Nagar)

આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજને આપેલી નવી ઓળખ અને રાષ્ટ્રનિર્માણમાં આદિવાસી સમાજના મોટા યોગદાનને ઉજાગર કરવાનો છે. યાત્રામાં ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓને રજૂ કરવામાં આવશે. આદિજાતિ કલ્યાણને લગતી વિવિધ યોજનાઓની માહિતી પણ નાટક, સભાઓ, સંવાદ અને વક્તૃત્વ સ્પર્ધાઓ જેવા વિવિધ માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવશે, જેથી આદિજાતિ સમાજના કલ્યાણને વેગ મળી શકે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic