ચૂંટણી પૂર્વે રાજકીય ભૂકંપ : આંકલાવ કોંગ્રેસમાં મોટું ગાબડું, અમિત ચાવડાના નજીકના સાથી નગીનભાઈ સોલંકીનો કેસરિયો
આંકલાવ: આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પૂર્વે આંકલાવ વિધાનસભાના રાજકારણમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાના અત્યંત નજીકના ગણાતા અને બામણગામ જિલ્લા પંચાયત વિસ્તારના પ્રભાવશાળી આગેવાન નગીન ચંદુભાઈ સોલંકીએ કોંગ્રેસનો સાથ છોડી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ‘જાયન્ટ કિલર’ સાંસદ અને કેબિનેટ મંત્રીની […]

