Friday, 17 April 2026
  • Home  
  • આણંદના સરદાર પટેલ રાજમાર્ગ પર બિરાજશે સ્વામી વિવેકાનંદ: મનપાની સંકલન બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
- ગુજરાત - મધ્ય ગુજરાત

આણંદના સરદાર પટેલ રાજમાર્ગ પર બિરાજશે સ્વામી વિવેકાનંદ: મનપાની સંકલન બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક કમિશનર મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મનપા સભાખંડ ખાતે યોજાઈ હતી. આ સંકલન સમિતિની બેઠકમાં સાંસદ મિતેશ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર મિલિંદ બાપનાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે જનપ્રતિનિધિઓના સૂચનોને પોઝિટિવ રીતે સ્વીકારી પ્રજાલક્ષી કાર્યોમાં પરસ્પરના સંકલન દ્વારા ગતિ […]

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક કમિશનર મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મનપા સભાખંડ ખાતે યોજાઈ હતી. આ સંકલન સમિતિની બેઠકમાં સાંસદ મિતેશ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર મિલિંદ બાપનાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે જનપ્રતિનિધિઓના સૂચનોને પોઝિટિવ રીતે સ્વીકારી પ્રજાલક્ષી કાર્યોમાં પરસ્પરના સંકલન દ્વારા ગતિ લાવવી અનિવાર્ય છે.

બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલે એક મહત્વનું સૂચન કર્યું હતું કે, શહેરના સરદાર પટેલ રાજમાર્ગ પર અંબા માતાના મંદિર સર્કલ પાસે સ્વામી વિવેકાનંદની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે. કમિશનરએ આ સૂચનને તાત્કાલિક ગ્રાહ્ય રાખી વહેલી તકે કલાત્મક સર્કલ સાથે પ્રતિમા મૂકવાની ખાતરી આપી હતી.

આ ઉપરાંત, આણંદના નાના-મોટા તળાવોને જોડીને અમદાવાદના કાંકરિયા જેવું જ ‘મિની કાંકરિયા’ પ્રવાસન સ્થળ બનાવવાનું આયોજન પણ ચર્ચાયું હતું. બાકરોલ તળાવને બોટિંગ સુવિધા સાથે વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સાંસદ અને ધારાસભ્યશ્રીએ બેઠકમાં અનેક પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં મુખ્યત્વે:

  • કન્વેન્શન સેન્ટર: વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે અત્યાધુનિક કન્વેન્શન સેન્ટરનું નિર્માણ.
  • ટ્રાફિક અને બ્રિજ: ભાઈ કાકા સ્ટેચ્યુ પાસે ઓવરબ્રિજ અને અટલ ચોક ઓવરબ્રિજની કામગીરીમાં ઝડપ.
  • રોડ-રસ્તા: બાકરોલ ગેટ થી જોળ સુધી ફોર લેન રોડ અને કરમસદ-લાંભવેલ લિંક રોડના કામો.
  • સુવિધાઓ: ગામડીમાં સ્ટ્રોમ વોટર લાઈન, વિવિધ સોસાયટીઓમાં ગટર લાઈન અને નવીન સ્ટ્રીટ લાઈટો નાખવી.
  • થીમ પાર્ક: ટાઉનહોલનું નવીનીકરણ કરી આજુબાજુ થીમ પાર્ક બનાવવો.

આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે. ગરવાલ, નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ, સીટી ઇજનેર જીગર પટેલ સહિત ફોરેસ્ટ, સિંચાઈ, શિક્ષણ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કમિશનરએ તમામ વિભાગોને પડતર પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા આદેશ આપ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic