આણંદના સરદાર પટેલ રાજમાર્ગ પર બિરાજશે સ્વામી વિવેકાનંદ: મનપાની સંકલન બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક કમિશનર મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મનપા સભાખંડ ખાતે યોજાઈ હતી. આ સંકલન સમિતિની બેઠકમાં સાંસદ મિતેશ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર મિલિંદ બાપનાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે જનપ્રતિનિધિઓના સૂચનોને પોઝિટિવ રીતે સ્વીકારી પ્રજાલક્ષી કાર્યોમાં પરસ્પરના સંકલન દ્વારા ગતિ […]
