વડોદરાથી કોલંબો : ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિ અવશેષો રાજકીય સન્માન સાથે શ્રીલંકા રવાના
વડોદરા: સંસ્કારી નગરી વડોદરા માટે આજનો મંગળવાર અવિસ્મરણીય અને ઐતિહાસિક બની રહ્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના આર્કિયોલોજી વિભાગમાં વર્ષ 1963 થી અત્યંત જતનપૂર્વક સાચવી રાખવામાં આવેલા ભગવાન ગૌતમ બુદ્ધના પવિત્ર અસ્થિ અવશેષોને આજે રાજકીય સન્માન સાથે શ્રીલંકા મોકલવામાં આવ્યા છે. શ્રીલંકાના કોલંબોમાં આયોજિત આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સંમેલનમાં લાખો ભાવિકોના દર્શનાર્થે આ અવશેષોને ત્યાં લઈ […]

