પવિત્ર યાત્રાધામમાં સર્જાયો ચીત્કાર, પાવાગઢ ડુંગર પર ભારે પથ્થરો નીચે દબાતા ૨ ના મોત, ૮ ઇજાગ્રસ્ત
હાલોલ: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પરથી આજે વહેલી સવારે એક અત્યંત માઠા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ પર વહેલી સવારે આભ તૂટી પડ્યું હતું. ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક પહાડની ભેખડ ધસી પડતાં ભારેખમ પથ્થરો નીચે ૧૦ જેટલા યાત્રિકો દબાઈ ગયા હતા. આ ગંભીર દુર્ઘટનામાં કુલ […]

