અંબાજી: ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે મહામેળો ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે અને લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા અંબાજીના દર્શન કરવા માટે ઉમટી પડશે. યાત્રાળુઓની સુવિધા, સલામતી અને વ્યવસ્થાપનને વધુ સરળ બનાવવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫
જય અંબે || जय माता दी।।@GujaratTourism @yatradhamboard#Ambaji #AmbajiTemple #AmbajiDarshan #Shaktipeeth #gabbar #shaktipith #51shktipith #51shktipithParikrama #Ambe #JayAmbe #JayMataji #Gujarat #Banaskantha #Yatradham #AmbajiGujarat… pic.twitter.com/V9vqRksH2M— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) August 10, 2025
આ વર્ષથી ભાદરવી પૂનમ મહામેળામાં આવતા તમામ પદયાત્રી સંઘો માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આ માટે ખાસ એક વેબસાઇટ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેનું સરનામું https://ambajitemple.in/bhadarvi-poonam છે. આ પોર્ટલ પર પદયાત્રી સંઘો પોતાના ઘરે બેઠા જ વિનામૂલ્યે અને સરળતાથી નોંધણી કરાવી શકશે.
ભાદરવી પૂનમ મહામેળો-2025
તા. 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન.
પદયાત્રી સંઘો અંબાજી મંદિરની વેબસાઇટ https://t.co/03ofLeDv7Z મારફત ઓનલાઇન નોંધણી કરાવી શકશે.
આ પોર્ટલ મારફતે પદયાત્રી સંઘો વિનામૂલ્યે ઘરે બેઠા ઓનલાઈન નોંધણી કરી શકે છે. pic.twitter.com/UWdTpWjfAW— Info Ahmedabad GoG (@infoahdgog) August 18, 2025
આ પગલાનો મુખ્ય ઉદ્દેશ વહીવટી તંત્રને યાત્રાળુઓની ચોક્કસ સંખ્યાનું અનુમાન લગાવવામાં મદદ કરવાનો છે. આનાથી વહીવટીતંત્ર ભક્તો માટે પીવાના પાણી, રહેઠાણ, સ્વચ્છતા અને તબીબી સુવિધાઓ જેવી જરૂરી સેવાઓનું યોગ્ય આયોજન કરી શકશે. ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ભીડ નિયંત્રણ અને કટોકટીની પરિસ્થિતિમાં પણ મદદરૂપ સાબિત થશે.
વર્ષોથી ભક્તો અંબાજી માતા પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ કરવા માટે પગપાળા યાત્રા કરે છે. આ ઓનલાઈન નોંધણી પ્રણાલીથી તેમની યાત્રા વધુ સુરક્ષિત અને સુખદ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
