Wednesday, 15 April 2026
  • Home  
  • Gujarat Election : ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની સમિતિઓની જાહેરાત, જાણો કયા નેતાને શું જવાબદારી મળી
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

Gujarat Election : ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની સમિતિઓની જાહેરાત, જાણો કયા નેતાને શું જવાબદારી મળી

અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Elections) માટે કોંગ્રેસ પક્ષે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા ગુજરાત રાજ્ય માટે વિવિધ સ્તરની સાત મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે, જેનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે. દિગ્ગજ […]

અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Elections) માટે કોંગ્રેસ પક્ષે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા ગુજરાત રાજ્ય માટે વિવિધ સ્તરની સાત મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે, જેનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે.

પક્ષે આ વખતે જૂના અને અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ મહત્વના સ્થાને મૂક્યા છે. મુખ્ય સમિતિઓ અને તેના પદાધિકારીઓની વિગતો નીચે મુજબ છે:

સ્ટ્રેટેજી કમિટી (Strategy Committee): પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને ચેરમેન અને લાલજી દેસાઈને વાઈસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. હેમાંગ વસાવડા કન્વીનર તરીકે કામ કરશે.

પ્રચાર કમિટી (Campaign Committee): પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને ચેરમેન પદ સોંપાયું છે, જ્યારે પરેશ ધાનાણી વાઈસ ચેરમેન અને ગેનીબેન ઠાકોર કન્વીનર રહેશે.

ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી: સિદ્ધાર્થ પટેલને ચેરમેન, જીજ્ઞેશ મેવાણીને વાઈસ ચેરમેન અને બિમલભાઈ શાહને કન્વીનર બનાવવામાં આવ્યા છે.

પ્રોગ્રામ અમલીકરણ કમિટી: પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરને ચેરમેન અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલને વાઈસ ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે.

મેનિફેસ્ટો કમિટી: શૈલેષ પરમારને ચેરમેન અને ઋત્વિક મકવાણાને વાઈસ ચેરમેન બનાવવામાં આવ્યા છે.

મીડિયા કમિટી: ડો. અમી યાજ્ઞિક ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે, જ્યારે લલિતભાઈ કગથરા વાઈસ ચેરમેન રહેશે.

પબ્લિસિટી કમિટી: કદીરભાઈ પીરઝાદાને ચેરમેન અને અનંત પટેલને વાઈસ ચેરમેન બનાવવામાં આવ્યા છે.

આ નિમણૂકો દર્શાવે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ગંભીરતાથી લઈ રહ્યું છે. એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે. જ્ઞાતિ સમીકરણો અને પ્રાદેશિક સંતુલન જાળવીને આ સમિતિઓ બનાવવામાં આવી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic