ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન એવા દાદાસાહેબ ફાળકે એવોર્ડ ૨૦૨૩ માટે સુપ્રસિદ્ધ અભિનેતા મોહનલાલની પસંદગી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડ સિલેક્શન કમિટીની ભલામણના આધારે આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય સિનેમામાં તેમના અજોડ યોગદાન બદલ તેમને આ પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવશે. આ એવોર્ડ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાનાર ૭૧મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં તેમને એનાયત કરવામાં આવશે.
આ જાહેરાત બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોહનલાલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, “મોહનલાલજી ઉત્કૃષ્ટતા અને વર્સેટિલિટીનું પ્રતીક છે. દાયકાઓથી વિસ્તરેલા તેમના સમૃદ્ધ કાર્ય સાથે, તેઓ મલયાલમ સિનેમા અને થિયેટરના અગ્રણી પ્રકાશ સ્તંભ છે અને કેરળની સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ ધરાવે છે.”
Shri Mohanlal Ji epitomises excellence and versatility. With a rich body of work spanning decades, he stands as a leading light of Malayalam cinema, theatre and is deeply passionate about the culture of Kerala. He has also delivered remarkable performances in Telugu, Tamil,… https://t.co/4MWI1oFJsJ pic.twitter.com/P0DkKg1FWL— Narendra Modi (@narendramodi) September 20, 2025
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, મોહનલાલે માત્ર મલયાલમ ફિલ્મોમાં જ નહીં, પરંતુ તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ નોંધપાત્ર અભિનય આપ્યો છે. તેમણે મોહનલાલની સિનેમેટિક અને થિયેટ્રિકલ પ્રતિભાને પ્રેરણાદાયક ગણાવી. તેમણે મોહનલાલને અભિનંદન આપતા કહ્યું કે, “આશા છે કે તેમની સિદ્ધિઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.”
મોહનલાલની અભિનય યાત્રા ઘણી પ્રેરણાદાયક રહી છે. તેમણે મલયાલમ સિનેમાને એક નવી ઊંચાઈ પર પહોંચાડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેમની અજોડ પ્રતિભા, વૈવિધ્યતા અને અથાક પરિશ્રમે ભારતીય ફિલ્મ ઇતિહાસમાં એક સુવર્ણ માપદંડ સ્થાપિત કર્યો છે. અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા તરીકેની તેમની બહુમુખી પ્રતિભાએ તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડના સાચા હકદાર બનાવ્યા છે.
On the recommendation of the Dadasaheb Phalke Award Selection Committee, the Government of India is pleased to announce that Shri. Mohanlal will be conferred the prestigious Dadasaheb Phalke Award 2023.
Mohanlal’s remarkable cinematic journey inspires generations! 🌟
The… pic.twitter.com/n1L9t5WQuP— Ministry of Information and Broadcasting (@MIB_India) September 20, 2025
મોહનલાલને આ એવોર્ડ મળવાથી ભારતીય સિનેમા, ખાસ કરીને દક્ષિણ ભારતીય સિનેમાના ચાહકોમાં ખુશીની લહેર ફરી વળી છે. તેમનો આ પ્રવાસ આવનારી પેઢીના કલાકારોને સપના જોવાની અને તેને સાકાર કરવાની પ્રેરણા આપતો રહેશે.