શામળાજીમાં પ્રકૃતિના આશીર્વાદ : વસંત પંચમીએ અરવલ્લીની ગિરિમાળાઓમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી ‘પર્વત પૂજા’
શામળાજી: વસંત પંચમીના પાવન અવસરે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ‘પર્વત પૂજા અને પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ’નો શાનદાર પ્રારંભ થયો હતો. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી અરવલ્લીની ગિરિમાળાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આબોહવા પરિવર્તનના પડકારો સામે લડવા જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો […]
