સુરતને મળી વધુ એક ‘બ્રિજ’ની ભેટ : કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે રૂ.34 કરોડના ફ્લાયઓવરનું કર્યું લોકાર્પણ
સુરત: બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરાઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ભીમરાડથી સિદ્ધાર્થનગર થઈ ડીંડોલીને જોડતા માર્ગ પર ₹34 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ શરૂ થવાથી દક્ષિણ સુરતના હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે. બ્રિજની […]


