Saturday, 13 June 2026
  • Home  
  • ઘઉંમાંથી બનતો મેદો આખરે કેમ છે સ્વાદમાં બેસ્ટ પણ સ્વાસ્થ્ય માટે વેસ્ટ? જાણો
- લાઈફસ્ટાઈલ

ઘઉંમાંથી બનતો મેદો આખરે કેમ છે સ્વાદમાં બેસ્ટ પણ સ્વાસ્થ્ય માટે વેસ્ટ? જાણો

ભારતમાં મોટા પ્રમાણમાં લોકો મેદામાંથી બનેલી વાનગીઓ જમતા જોવા મળી જશે. પિઝા હોય કે નૂડલ્સ લોકોને મેદામાંથી બનતી વાનગીઓ ખુબ પસંદ હોય છે. પરંતુ આ સ્વાદમાં બેસ્ટ મેદો સ્વાસ્થ્ય માટે વેસ્ટ છે. આ સત્ય સૌ કોઈ જાણે છે, તેમ છતાં મોટા ભાગના લોકો આજે મેદાનું સેવન કરતા જોવા મળે છે. ભારતીય રસોડામાં પૂરી, ભટુરે, નાનથી […]

ભારતમાં મોટા પ્રમાણમાં લોકો મેદામાંથી બનેલી વાનગીઓ જમતા જોવા મળી જશે. પિઝા હોય કે નૂડલ્સ લોકોને મેદામાંથી બનતી વાનગીઓ ખુબ પસંદ હોય છે. પરંતુ આ સ્વાદમાં બેસ્ટ મેદો સ્વાસ્થ્ય માટે વેસ્ટ છે. આ સત્ય સૌ કોઈ જાણે છે, તેમ છતાં મોટા ભાગના લોકો આજે મેદાનું સેવન કરતા જોવા મળે છે. ભારતીય રસોડામાં પૂરી, ભટુરે, નાનથી લઈને પિઝા, બર્ગર અને બિસ્કિટમાં વપરાતો મેંદો વાસ્તવમાં ઘઉંનો જ એક અત્યંત શુદ્ધ અને રિફાઈન્ડ કરેલો ભાગ છે.

ઓછા લોકો આ જાણતા હશે તે મેંદો ઘઉંમાંથી બને છે. તમને એમ થશે કે આપણે ઘઉંના જ લોટમાંથી બનીત રોટલી સહિતની વાનગીઓ ખાઈએ છે. તો કેમ તેનાથી આપણું સ્વાસ્થ્ય ખરાબ નથી થતું, અને મેદાથી થાય છે. ઘઉંમાંથી બનતો હોવા છતા મેદો સ્વાસ્થ્ય માટે હાનિકારણ છે. તમને જણાવી દઈએ કે ઘઉં સ્વાસ્થ્યપ્રદ છે, પણ તેમાંથી મેંદો બનવાની પ્રક્રિયા તેને હાનિકારક બનાવી દે છે.

મેંદાને ઘઉંના દાણામાંથી રિફાઈન્ડ કરીને બનાવવામાં આવે છે. મેંદો બનાવવાની પ્રક્રિયામાં ઘઉંના ઉપરના પડ (Bran) અને અંદરના ફાઈબરયુક્ત ભાગ (Germ) ને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે. માત્ર સફેદ સ્ટાર્ચવાળો ભાગ જ બાકી રહે છે.

  1. રિફાઇનિંગ: ઘઉંના દાણાને એટલી હદ સુધી દળવામાં આવે છે કે તે એકદમ બારીક પાવડર બની જાય છે.
  2. બ્લીચિંગ: મેંદાને સફેદ અને ચમકદાર બનાવવા માટે તેમાં ‘બેન્ઝોઈલ પેરોક્સાઈડ’ જેવા કેમિકલ્સ ઉમેરવામાં આવે છે.
  3. સોફ્ટનિંગ: તેને વધુ મુલાયમ બનાવવા માટે ‘એલોક્સન’ (Alloxan) નામનું તત્વ ઉમેરાય છે, જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્વાદુપિંડ (Pancreas) માટે જોખમી ગણાય છે.

ભારતીય આહાર નિષ્ણાતો મેંદાને ‘વ્હાઈટ પોઈઝન’ એટલે કે સફેદ ઝેર ગણાવે છે. તેના મુખ્ય ગેરફાયદા નીચે મુજબ છે:

પાચનતંત્રમાં ગરબડ: મેંદામાં ફાઈબર બિલકુલ હોતું નથી, જેના કારણે તે આંતરડામાં ચોંટી જાય છે. આનાથી કબજિયાત અને પાચનને લગતી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

ડાયાબિટીસનું જોખમ: મેંદાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) ખૂબ ઊંચો હોય છે. તે ખાતાની સાથે જ લોહીમાં સુગરનું લેવલ અચાનક વધી જાય છે, જે લાંબા ગાળે ટાઇપ-2 ડાયાબિટીસનું કારણ બને છે.

સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ: મેંદામાં માત્ર કેલરી હોય છે, પોષક તત્વો શૂન્ય હોય છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) વધારે છે અને વજનમાં ઝડપથી વધારો કરે છે.

હૃદયની બીમારીઓ: મેંદાના વધુ પડતા સેવનથી ધમનીઓમાં બ્લોકેજની સમસ્યા ઉભી થઈ શકે છે, જે હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

મેંદાને બદલે આખા ઘઉંનો લોટ (Atta), જુવાર, બાજરી કે રાગી જેવા મિશ્ર લોટનો ઉપયોગ કરવો જોઈએ. બજારમાં મળતી મેંદાની બ્રેડ કે બિસ્કિટના બદલે હોલ વ્હીટ વિકલ્પો પસંદ કરવા સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. જો આપણે રોજિંદા જીવનમાં આ ફેરફાર લાવીએ તો સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક બની રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic