Wednesday, 2 September 2026
  • Home  
  • ગીરીમાળાઓના દર્શન બન્યા સરળ, ગત વર્ષે ૪૭ લાખથી વધુ ભક્તોએ ‘ઉડન ખટોલા’ની માણી સવારી
- ગુજરાત - સૌરાષ્ટ્ર

ગીરીમાળાઓના દર્શન બન્યા સરળ, ગત વર્ષે ૪૭ લાખથી વધુ ભક્તોએ ‘ઉડન ખટોલા’ની માણી સવારી

જૂનાગઢ: ગુજરાતના પવિત્ર પર્વતો પર બિરાજમાન દેવી-દેવતાઓના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે રોપ-વે સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યના ત્રણ મુખ્ય યાત્રાધામો—ગીરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે કુલ ૪૭.૩૨ લાખથી વધુ યાત્રાળુઓએ સુખદ અને સુરક્ષિત રીતે ‘ઉડન ખટોલા’ (રોપ-વે) ની સવારીનો આનંદ માણ્યો છે. આ આંકડો દર્શાવે છે કે વડીલો, […]

જૂનાગઢ: ગુજરાતના પવિત્ર પર્વતો પર બિરાજમાન દેવી-દેવતાઓના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે રોપ-વે સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યના ત્રણ મુખ્ય યાત્રાધામો—ગીરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે કુલ ૪૭.૩૨ લાખથી વધુ યાત્રાળુઓએ સુખદ અને સુરક્ષિત રીતે ‘ઉડન ખટોલા’ (રોપ-વે) ની સવારીનો આનંદ માણ્યો છે. આ આંકડો દર્શાવે છે કે વડીલો, બાળકો અને દિવ્યાંગજનો માટે પર્વતારોહણ હવે અત્યંત સુગમ બન્યું છે, જેનાથી સ્થાનિક કક્ષાએ રોજગારીની નવી તકો પણ ઊભી થઈ છે.

રાજ્યના ત્રણેય પ્રમુખ રોપ-વે સેન્ટરો પર નોંધાયેલા યાત્રાળુઓની વિગત નીચે મુજબ છે:

  • પાવાગઢ (પંચમહાલ): ૨૩.૪૩ લાખથી વધુ પ્રવાસીઓ
  • અંબાજી (બનાસકાંઠા): ૧૫.૫૮ લાખથી વધુ પ્રવાસીઓ
  • ગીરનાર (જૂનાગઢ): ૮.૩૧ લાખથી વધુ પ્રવાસીઓ
  • કુલ વાર્ષિક યાત્રાળુઓ: ૪૭,૩૨,૦૦૦ થી વધુ

જૂનાગઢમાં આવેલો ૨.૧૨ કિલોમીટર લાંબો ગીરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વે પૈકીનો એક છે. ઓક્ટોબર ૨૦૨૦માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટિત આ રોપ-વે જમીનથી ૩,૬૬૦ ફૂટની ઊંચાઈએ આવેલા માં અંબાજીના મંદિર સુધી પહોંચાડે છે.

  • ક્ષમતા: ૩૧ આધુનિક કેબિન દર કલાકે ૧,૦૦૦ મુસાફરોનું પરિવહન કરે છે.
  • સમય બચત: માત્ર ૦૯ મિનિટની આહલાદક રાઈડ દ્વારા ૫,૦૦૦ પગથિયાં ચઢવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે.
  • પ્રકૃતિ દર્શન: ગુરુ દત્તાત્રેય, ગોરખનાથ અને ઐતિહાસિક જૈન મંદિરોના દર્શન સાથે ચોમાસામાં વાદળો વચ્ચેથી પસાર થવાનો અનોખો અનુભવ મળે છે.

ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા ‘ઉડન ખટોલા’ બ્રાન્ડ હેઠળ સંચાલિત આ તમામ રોપ-વે સ્ટેશનો પર વેઇટિંગ હોલ, ફૂડ કોર્ટ, ફર્સ્ટ એઇડ, વ્હીલચેર, માતૃ સંભાળ કક્ષ અને લોકર જેવી અદ્યતન સવલતો ઉપલબ્ધ છે.

રોપ-વે સ્થળદૈનિક સમયવિશેષ ડિસ્કાઉન્ટ સ્કીમ
ગીરનારસવારે ૦૭:૦૦ થી સાંજે ૦૫:૦૦દિવ્યાંગજનો માટે ખાસ વળતર
પાવાગઢસવારે ૦૬:૦૦ થી સાંજે ૦૫:૪૫શાળાના વિદ્યાર્થીઓ માટે ‘શરદ મહોત્સવ’ (STEM Excursion) હેઠળ ડિસેમ્બરથી માર્ચ દરમિયાન ડિસ્કાઉન્ટ
અંબાજીસવારે ૦૭:૦૦ થી સાંજે ૦૬:૦૦

યાત્રાળુઓ પોતાના પ્રવાસનું અગાઉથી આયોજન કરવા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ udankhatola.com વેબસાઈટ પરથી કરી શકે છે. વધુ માહિતી અથવા સહાયતા માટે ટોલ-ફ્રી નંબર ૧૮૦૦-૨૦૨-૪૦૫૦ અથવા ઈમેઈલ customercare@ushabreco.com પર સંપર્ક કરી શકાશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic