CMનો કડક મિજાજ : “બાંધકામની ગુણવત્તામાં બાંધછોડ નહીં ચાલે”, નબળા રસ્તા મુદ્દે તપાસના આદેશ
ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં વિકાસલક્ષી કામોની ગુણવત્તા મુદ્દે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, રાજ્યમાં થતા કોઈ પણ બાંધકામ કે માર્ગ નિર્માણના કામોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે સંબંધિત વિભાગોના વડાઓને તાકીદ કરી છે કે જનતાના પૈસાનો સદુપયોગ […]
