Thursday, 11 June 2026

Tag: Spiritual News

ગુજરાત મધ્ય ગુજરાત

વિદ્યાનગર BAPS છાત્રાલયના નૂતન મંદિરનો 11મો પાટોત્સવ, 108 વાનગીઓના અન્નકૂટ અને મહાપૂજા સાથે ભવ્ય ઉજવણી

વલ્લભ વિદ્યાનગર: સંસ્કાર, શિક્ષણ અને સ્વવિકાસના ત્રિવેણી સંગમ સમાન BAPS સ્વામિનારાયણ છાત્રાલય, વિદ્યાનગર ખાતે નૂતન મંદિરનો ૧૧મો પાટોત્સવ અત્યંત ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. છેલ્લા ૬૧ વર્ષથી હજારો વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર સિંચન કરતા આ છાત્રાલયમાં વર્ષ ૨૦૧૬માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ પાટોત્સવમાં સંતો અને હરિભક્તોની વિશાળ હાજરીથી સમગ્ર સંકુલ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નમામિ દેવી નર્મદે : શ્રદ્ધાના ઘોડાપૂર સાથે ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા’નો મંગલ પ્રારંભ

નર્મદા: ‘નર્મદે સર્વદે’ અને ‘નમામિ દેવી નર્મદે’ના ગુંજારવ સાથે આજથી પવિત્ર ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા’નો દિવ્ય પ્રારંભ થયો છે. પુરાણોમાં નર્મદા મૈયાના દર્શન માત્રથી પાપોનું નિવારણ થતું હોવાનું માહાત્મ્ય છે, ત્યારે ચૈત્ર માસના આ પવિત્ર અવસરે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ નર્મદા સ્નાન કરી, માતા નર્મદા અને ભગવાન રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી છે. ૧૯ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગિરનારની ગોદમાં ગુંજશે હર હર મહાદેવ : ભવનાથના મિની કુંભ ‘મહાશિવરાત્રી મેળા’નો પ્રારંભ

જૂનાગઢ: પવિત્ર ગિરનારની તળેટી અને ભવનાથના ક્ષેત્રમાં આજથી તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળા’નો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે મેળાની વિધિવત શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે અભૂતપૂર્વ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડતાલધામમાં ભક્તિનો ઉમંગ : ૨૦૦મી ‘શિક્ષાપત્રી જયંતી’ અને વસંતપંચમી મહોત્સવનો ભવ્ય પ્રારંભ

વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોચ્ચ ગાદી અને રાજધાની ગણાતા વડતાલધામ ખાતે આગામી તા. ૨૧ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ત્રિ-દિવસીય ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વસંતપંચમીના પાવન પર્વની સાથે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લખાયેલી શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. ૨૦૦ વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે વડતાલના હરિ મંડપમાં બેસીને સમગ્ર માનવજાત માટે […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આણંદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત

આણંદ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ પ્રવાસ દરમિયાન બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત લીધી હતી. આણંદના અક્ષરફાર્મ ખાતે આયોજિત આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ સંસ્થાના સંતોના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. ભગવત ચરણ સ્વામીએ આપ્યા આશીર્વાદ બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત ભગવત ચરણ સ્વામીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ભાવભર્યું આવકાર આપ્યો હતો. […]

ગુજરાત મધ્ય ગુજરાત

પોષી પૂનમ : વડતાલધામમાં હરિભક્તોનું ઘોડાપૂર, સવા લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ અને સંપ્રદાયની રાજધાની સમાન વડતાલધામમાં શનિવારે પોષી પૂનમના પવિત્ર અવસરે શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મંગળા આરતીના દર્શન કરવા માટે હજારો હરિભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દિવસ દરમિયાન અંદાજે ૧ લાખ ૨૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરનું વિશાળ પટાંગણ હરિભક્તોની […]

ગુજરાત મધ્ય ગુજરાત

પાર્ટી નહીં ભક્તિ : વડોદરાના યુવાધને હરે કૃષ્ણાના નાદ સાથે 2026ને વધાવ્યું

વડોદરા: જ્યારે સમગ્ર વિશ્વ 31 ડિસેમ્બરની રાત્રે પાર્ટી, લાઉડ મ્યુઝિક અને ઘોંઘાટમાં મગ્ન હોય છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. હરિનગર સ્થિત ઇસ્કોન મંદિર (ISKCON) ખાતે નિત્યાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025ને વિદાય આપવા અને નૂતન વર્ષ 2026ને આવકારવા માટે ભવ્ય ભજન-કીર્તન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic