Friday, 17 April 2026
  • Home  
  • ‘ગોખણપટ્ટી છોડો, સ્માર્ટ વર્ક કરો’, તજજ્ઞોના માર્ગદર્શનથી આણંદના 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ ટેન્શન મુક્ત
- ગુજરાત - મધ્ય ગુજરાત

‘ગોખણપટ્ટી છોડો, સ્માર્ટ વર્ક કરો’, તજજ્ઞોના માર્ગદર્શનથી આણંદના 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ ટેન્શન મુક્ત

આણંદ: આણંદ જિલ્લામાં આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે સમગ્ર જિલ્લામાંથી કુલ 50,966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પોતાની કિસ્મત અજમાવશે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ડર ન રહે અને તેઓ આત્મવિશ્વાસ સાથે પેપર લખી શકે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી […]

આણંદ: આણંદ જિલ્લામાં આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે સમગ્ર જિલ્લામાંથી કુલ 50,966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પોતાની કિસ્મત અજમાવશે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ડર ન રહે અને તેઓ આત્મવિશ્વાસ સાથે પેપર લખી શકે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લા શિક્ષણ અધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ હેલ્પલાઇન અને તજજ્ઞ શિક્ષકોના નંબર જાહેર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આ હેલ્પલાઇન પર 50 થી વધુ ફોન કોલ્સ આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોતાની મૂંઝવણો રજૂ કરી હતી.

એજ્યુકેશન ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓએ તજજ્ઞો પાસે નીચે મુજબના પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવ્યું હતું:

યાદ રાખવાની પદ્ધતિ: “બધું વાંચ્યું છે પણ યાદ રહેતું નથી, શું કરવું?” તજજ્ઞોએ તેમને પોઈન્ટ્સ પાડીને અને લખીને પ્રેક્ટિસ કરવાની સલાહ આપી હતી.

સમયનું આયોજન: ઓછા સમયમાં વધુ રિવિઝન કેવી રીતે કરવું અને વાંચવા માટેનો શ્રેષ્ઠ સમય કયો?

પેપર ચેકિંગની પદ્ધતિ: “શું શિક્ષકો કી-વર્ડ (Key-words) પર ધ્યાન આપે છે?” આ પ્રશ્ને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે મુદ્દાસર લખાણ અને કી-વર્ડ્સ માર્કસ ખેંચવામાં મદદરૂપ થાય છે.

માનસિક દબાણ: “માતા-પિતા શ્રેષ્ઠ પરિણામ માંગે છે, હું એવરેજ છું તો શું કરવું?” વાલીઓને પણ બાળકો પર દબાણ ન કરવા અને પ્રોત્સાહન આપવા સમજાવવામાં આવ્યું હતું.

શારીરિક સમસ્યા: પરીક્ષા નજીક આવતા ઊંઘ વધારે આવવી કે એકાગ્રતાનો અભાવ હોવો જેવી સમસ્યાઓનું પણ નિરાકરણ આપવામાં આવ્યું હતું.

જિલ્લા શિક્ષણ અધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “અમે ઇચ્છીએ છીએ કે દરેક બાળક કોઈ પણ પ્રકારના માનસિક બોજ વગર પરીક્ષા આપે. હેલ્પલાઇન દ્વારા નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને અંગ્રેજી વ્યાકરણમાં માર્કસ ખેંચવાની ટિપ્સથી લઈને પરીક્ષામાં પાસિંગ માર્કસ સુધીની તમામ વિગતો સંતોષકારક રીતે પૂરી પાડી છે.”

આગામી પરીક્ષા માટે તંત્ર સજ્જ છે અને તમામ કેન્દ્રો પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હેલ્પલાઇન સુવિધા હજુ પણ કાર્યરત છે જેથી છેલ્લી ઘડીએ કોઈ પણ વિદ્યાર્થી ગભરાય નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic