Wednesday, 2 September 2026
  • Home  
  • ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ યોજાઈ હાઈ-લેવલ બેઠક, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને એલર્ટ રહેવા આદેશ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ યોજાઈ હાઈ-લેવલ બેઠક, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને એલર્ટ રહેવા આદેશ

ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોની વણઝાર વચ્ચે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત મોનિટરિંગ કરી રહ્યું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની વર્તમાન પરિસ્થિતિની ગંભીર સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય (હાઈ-લેવલ) બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ વાયરસના વ્યાપને નિયંત્રિત કરવા, અસરગ્રસ્ત દર્દીઓની […]

ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોની વણઝાર વચ્ચે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત મોનિટરિંગ કરી રહ્યું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની વર્તમાન પરિસ્થિતિની ગંભીર સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય (હાઈ-લેવલ) બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ વાયરસના વ્યાપને નિયંત્રિત કરવા, અસરગ્રસ્ત દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ સઘન બનાવવા માટે ઉચ્ચ અધિકારીઓને યુદ્ધના ધોરણે કામ કરવા કડક આદેશ આપ્યા હતા.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ બેઠક બાદ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના સચોટ અને ઝડપી નિદાન માટે લેબોરેટરી ટેસ્ટિંગની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૨૭ શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી ૧૯ નમૂનાના સત્તાવાર પરિણામો પ્રાપ્ત થઈ ચૂક્યા છે. જેમાંથી ૭ કેસ પોઝિટિવ અને ૧૨ નેગેટિવ આવ્યા છે. જ્યારે બાકી રહેલા અન્ય ૮ નમૂનાઓનું પરીક્ષણ હાલ ચાલી રહ્યું છે અને તેનું પરિણામ પણ આજે સાંજ સુધીમાં આવી જશે.

ચાલુ વર્ષે ચાંદીપુરા વાયરસના ભરડામાં આવવાથી કુલ ત્રણ પોઝિટિવ બાળકોના અત્યંત દુઃખદ મૃત્યુ થયા છે. આ અંગે મંત્રીશ્રીએ બેઠકમાં ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે આરોગ્ય તંત્રને તાકીદ કરી હતી કે હવે પછી રાજ્યમાં એકપણ બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ ન થાય તે માટે તબીબી સ્તરે સર્વોચ્ચ કાળજી અને તકેદારી રાખવામાં આવે.

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ની સક્રિય મદદ લઈને રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ (બાળ રોગ નિષ્ણાતો) ને વિશેષ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે અને તેઓને ગાંધીનગર મુખ્ય મથક સાથે સતત જીવંત સંકલનમાં રહેવા જણાવાયું છે. નાના સેન્ટરો અને ખાનગી ક્લિનિક ચલાવતા ડૉક્ટરોને પણ કડક સૂચના આપવામાં આવી છે કે, જો બાળકોમાં આવો કોઈ શંકાસ્પદ કેસ જણાય, તો પ્રાથમિક સારવાર બાદ સહેજ પણ સમય બગાડ્યા વિના બાળકને ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ધરાવતી મોટી સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં તુરંત જ રેફર (દાખલ) કરવામાં આવે, જેથી સમયસર સારવાર આપીને માસૂમ બાળકોની કિંમતી જિંદગી બચાવી શકાય.

રાહતની વાત એ છે કે, વર્ષ ૨૦૨૪માં રાજ્યના જે ૬૧ સંવેદનશીલ સ્થળો પરથી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા, તે તમામ સ્થળો પર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અગાઉથી જ દવાનો છંટકાવ અને લોકજાગૃતિના કાર્યક્રમો યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવ્યા હતા. આ જૂના ૬૧ સ્થળોમાંથી એક પણ જગ્યાએ નવો કેસ રિપીટ થયો નથી. બીજી તરફ, જે નવા વિસ્તારોમાં હાલમાં દર્દીઓ મળી આવ્યા છે, ત્યાં સ્થાનિક પ્રશાસન દ્વારા તુરંત જ ફોગિંગ, સેન્ડફ્લાય (રેતીલી માખી) ના નાશ માટે સ્પ્રે અને સેનિટાઈઝેશનની કામગીરી સઘન બનાવવામાં આવી છે. વાયરસના સંભવિત ફેલાવાને અટકાવવા માટે રાજ્યના અંતરિયાળ અને નાનામાં નાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC/CHC) સુધી જરૂરી દવાઓનો પૂરતો જથ્થો અને તબીબી પુરવઠો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર ચોવીસ કલાક નજર રાખી રહી છે. તેમણે વાલીઓને અપીલ કરી છે કે જો કોઈ પણ બાળકમાં અચાનક તાવ આવવો, ઉલટી થવી કે બેભાન થવા જેવા પ્રાથમિક લક્ષણો દેખાય, તો ગભરાયા વગર તુરંત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરી તબીબી સલાહ લેવી.

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, શહેરી આરોગ્ય કમિશનર ડૉ. સંધ્યા ભુલ્લર, ગ્રામ્ય આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ, જાહેર આરોગ્ય અધિક નિયામક ડૉ. નિલમ પટેલ સહિત આરોગ્ય ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic