Sunday, 19 April 2026
  • Home  
  • બિઝનેસ કનેક્ટ દ્વારા ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશનને વર્ષ 2026 ના એવોર્ડથી નવાજવામાં આવી
- ઉત્તર ગુજરાત - ગુજરાત - મધ્ય ગુજરાત

બિઝનેસ કનેક્ટ દ્વારા ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશનને વર્ષ 2026 ના એવોર્ડથી નવાજવામાં આવી

ચાંગા: આણંદ જિલ્લાના ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CHARUSAT) ના સંલગ્ન સેક્શન-8 કંપની ‘ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન’ (CIVF) એ વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. Business Connect દ્વારા CIVF ને “Emerging Leader in Innovation Ecosystem and Start-up Acceleration- 2026” ના ગૌરવશાળી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ચારુસેટ દ્વારા સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેશન […]

ચાંગા: આણંદ જિલ્લાના ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CHARUSAT) ના સંલગ્ન સેક્શન-8 કંપની ‘ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન’ (CIVF) એ વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. Business Connect દ્વારા CIVF ને “Emerging Leader in Innovation Ecosystem and Start-up Acceleration- 2026” ના ગૌરવશાળી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ચારુસેટ દ્વારા સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેશન માટે ઊભી કરવામાં આવેલી મજબૂત ઇકોસિસ્ટમની સફળતાનું પ્રતીક છે.

CIVF એ પ્રાદેશિક સ્તરે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક વિશાળ અને ગતિશીલ નેટવર્ક તૈયાર કર્યું છે. આ નેટવર્કની મજબૂતી નીચે મુજબ છે:

  • મેન્ટેર્સ: 40 થી વધુ અનુભવી ઔદ્યોગિક મેન્ટેર્સનું માર્ગદર્શન.
  • ઇન્વેસ્ટર્સ: 24 થી વધુ રોકાણકારોનો સહયોગ.
  • સ્ટાર્ટ-અપ્સ: 50 થી વધુ ઉભરતા સ્ટાર્ટ-અપ્સને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
  • ભાગીદારી: 45 થી વધુ કોર્પોરેટ પાર્ટનર્સ અને 7 સરકારી જોડાણો દ્વારા ઇનોવેશનને વેગ અપાયો છે.

આ મોટી સિદ્ધિ હાંસલ કરવા બદલ CIVF ના ડાયરેક્ટર્સ ડો. અતુલ પટેલ, ગિરીશ પટેલ, અશોક પટેલ, મધુબેન પટેલ, વિપુલ પટેલ અને ડો. બિનીત પટેલના વિઝનરી નેતૃત્વની સરાહના કરવામાં આવી છે. આ ઉપરાંત, સીનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. સ્વાતિ જોશી અને સમગ્ર CIVF ટીમના મહેનતભર્યા પ્રયાસોએ આ એવોર્ડ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

એવોર્ડ સ્વીકારતા CIVF ના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, “આ સન્માન અમને ઇનોવેશન ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા માટે નવી પ્રેરણા આપે છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્ટાર્ટ-અપ ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ ના વિઝનને સાકાર કરવા માટે સતત કટિબદ્ધ છીએ.” ચારુસેટ ભવિષ્યમાં પણ ઉભરતા સાહસિકોને સશક્ત બનાવવા અને નવીનતા લાવવા માટે પોતાની યાત્રા વધુ વેગથી ચાલુ રાખશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic