ગાંધીનગર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાત સરકારના ‘ગુજરાત મોડેલ’ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દલિતો, પછાત વર્ગ અને ગરીબોના ઘર તોડી પાડવા અને અબજોપતિ ઉદ્યોગપતિઓને જમીન આપવાનો સીધો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં બુલડોઝરથી તોડી પાડવામાં આવેલા ઘરોની પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે.
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, “ગુજરાત મોડેલ સ્પષ્ટ છે – દલિતો, પછાત વર્ગ અને ગરીબો માટે બુલડોઝર, જ્યારે અદાણી માટે હજારો એકર જમીન મફતમાં અથવા માત્ર ₹૧માં.” તેમણે ગાંધીનગરના પેથાપુરની ઘટનાનો ઉલ્લેખ કર્યો, જ્યાં ૪૦૦થી વધુ પરિવારોના ઘરને ‘અવૈધ’ ગણાવીને તોડી પાડવામાં આવ્યા, જોકે આ પરિવારો પાસે વીજળીના બિલ, ટેક્સની રસીદો, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને મતદાર ઓળખપત્ર જેવા કાયદેસરના પુરાવાઓ હતા.
गुजरात मॉडल स्पष्ट है – दलितों, पिछड़े वर्ग और गरीबों के लिए बुलडोज़र, जबकि अडानी के लिए हजारों एकड़ ज़मीन मुफ्त में या मात्र ₹1 की।
गांधीनगर, गुजरात के पेथापुर बस्ती में 400 से अधिक परिवारों के घर ‘अवैध’ बता कर उजाड़ दिए गए, जबकि उनके पास बिजली के बिल, टैक्स रसीदें, राशन… pic.twitter.com/QXMylETaGK— Rahul Gandhi (@RahulGandhi) September 24, 2025
રાહુલ ગાંધીએ આ ઘટનાને માત્ર ગુજરાત પૂરતી સીમિત ન ગણાવતા કહ્યું કે, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં પણ આ પ્રકારની તોડફોડની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આવા ઘણા કિસ્સાઓમાં લોકો પાસે અદાલત દ્વારા આપવામાં આવેલા ‘સ્ટે’ ઓર્ડર પણ હતા, છતાં તેમના ઘર તોડી પાડવામાં આવ્યા.
તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, “ભાજપને સ્પષ્ટપણે ખબર છે કે તેઓ વાસ્તવિક જનાદેશ દ્વારા સરકાર બનાવી શકતા નથી; તેમની સરકાર ચોરી કરીને અને સંસ્થાઓ પર કબજો કરીને બને છે.” તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ ગરીબોના અધિકાર છીનવી રહ્યું છે અને દેશની સંપત્તિ પોતાના કેટલાક અબજોપતિ મિત્રોને સોંપી રહ્યું છે.
આખરે, તેમણે ભારપૂર્વક કહ્યું કે, “ભારતનું લોકતંત્ર જનતાના અધિકારો માટે છે, અને તેમના માટે જ ચાલશે. ભાજપ અને તેના મિત્રોની દેશમાંથી ચોરી અમે ચાલવા દઈશું નહીં.” રાહુલ ગાંધીના આ નિવેદનોએ ગુજરાત અને કેન્દ્ર સરકાર પર રાજકીય હુમલો કર્યો છે અને વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દાને વધુ વેગ મળવાની શક્યતા છે.
