Thursday, 3 September 2026
  • Home  
  • સુરતમાં અંધશ્રદ્ધાનો ખેલ ખતમ : ‘પિતૃદોષ’ અને બીમારી મટાડવાના બહાને સોનું પડાવતા બે ઢોંગી તાંત્રિકો ઝડપાયા
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

સુરતમાં અંધશ્રદ્ધાનો ખેલ ખતમ : ‘પિતૃદોષ’ અને બીમારી મટાડવાના બહાને સોનું પડાવતા બે ઢોંગી તાંત્રિકો ઝડપાયા

સુરત: સુરત શહેરમાં ધર્મના નામે અને અંધશ્રદ્ધા ફેલાવીને લોકોની નબળાઈનો ફાયદો ઉઠાવતી એક મોટી ઠગ ગેંગનો સુરતની લસકાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. તાંત્રિક વિધિ કરવાના બહાને ભોળા અને માસૂમ લોકોને છેતરનારા બે ઢોંગી તાંત્રિકોને લસકાણા પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને ઝડપી લીધા છે. પકડાયેલા બંને આરોપીઓ મૂળ રાજકોટના વતની છે અને તેઓ બસ મારફતે […]

સુરત: સુરત શહેરમાં ધર્મના નામે અને અંધશ્રદ્ધા ફેલાવીને લોકોની નબળાઈનો ફાયદો ઉઠાવતી એક મોટી ઠગ ગેંગનો સુરતની લસકાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. તાંત્રિક વિધિ કરવાના બહાને ભોળા અને માસૂમ લોકોને છેતરનારા બે ઢોંગી તાંત્રિકોને લસકાણા પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને ઝડપી લીધા છે. પકડાયેલા બંને આરોપીઓ મૂળ રાજકોટના વતની છે અને તેઓ બસ મારફતે રાજકોટથી સુરત આવીને મોટી ઉંમરના વૃદ્ધો અને મહિલાઓને શિકાર બનાવતા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓની મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની પદ્ધતિ) અત્યંત શાતિર હતી. આરોપીઓ રાજકોટથી સુરત આવતા અને સુરતના અલગ-અલગ વિસ્તારોમાં ફરીને મોટી ઉંમરની મહિલા કે પુરુષોને ટાર્ગેટ કરતા હતા. શરૂઆતમાં તેઓ ભોગ બનનારને રામદેવપીરના મંડળમાં ભોજન (પ્રસાદ) માટેનું આમંત્રણ આપી પરિચય કેળવતા અને પછી ધીમે-ધીમે વિશ્વાસ જીતીને તેમના ઘરે પહોંચી જતા હતા.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ ખાસ કરીને એવા પરિવારોને શોધતા હતા જેમના ઘરમાં કોઈ સભ્ય ડાયાબિટીસ જેવી લાંબી અને જલ્દી મટી ન શકે તેવી ગંભીર બીમારીથી પીડાતું હોય. બીમારીથી પરેશાન લોકોને તેઓ પોતાની કથિત તાંત્રિક વિદ્યાથી સાજા કરી દેવાની ખોટી આશા (Hope) આપતા હતા. વાતચીત દરમિયાન જો ઘરમાં કોઈ બીમાર હોવાની ખબર પડે, તો તે ઘરને મુખ્ય ટાર્ગેટ બનાવી ઘરમાં ‘પિતૃદોષ’ હોવાનો ભયંકર ડર બતાવતા હતા. આ દોષ નિવારવા અને દર્દીને સાજો કરવા માટે હવન કે વિશેષ તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહી તેઓ કંકુ, ચોખા અને સોનાના દાગીના મંગાવતા હતા. ત્યારબાદ વિધિની જાળમાં ફસાવીને સોનાના દાગીના અને કિંમતી સામાન લઈને ફરાર થઈ જતા હતા.

લસકાણા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા જ ડી-સ્ટાફની ટીમે તાત્કાલિક એક્શન લીધી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજકોટ તરફથી બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસને તેમની પાસેથી કુલ અંદાજે ૨૮.૫ ગ્રામ સોનું અને ₹૭,૦૦૦ રોકડા રિકવર કરવામાં સફળતા મળી છે. જેમાં લસકાણાના ચોક્કસ ગુનામાં ૧૫.૦૮ ગ્રામ સોનું અને ₹૫,૧૦૦ રોકડા સામેલ છે.

પકડાયેલા આરોપીઓની પ્રોફાઇલ:

૧. કાલુનાથ લખુનાથ લખુમ (ઉંમર: ૩૭ વર્ષ, રહે. રાજકોટ)

૨. દેવાયત કાનજીભાઈ નાથવાડા (ઉંમર: ૩૬ વર્ષ, રહે. રાજકોટ)

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ઢોંગીઓએ ઉત્રાણ પોલીસ સ્ટેશનની હદમાં પણ આવી જ રીતે બે મહિલાઓ સાથે છેતરપિંડી આચરી હતી, જેની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આમ, આ ધરપકડથી લસકાણાની એક અને ઉત્રાણ પોલીસની બે મળીને કુલ ત્રણ મોટી છેતરપિંડીની ફરિયાદોનો ભેદ ઉકેલાયો છે.

આ સફળ ઓપરેશન બાદ પોલીસ અધિકારીએ જનતાને નમ્ર અપીલ અને વિનંતી કરી છે કે કોઈ પણ નાગરિકે આવી અંધશ્રદ્ધા, પિતૃદોષ નિવારણ કે તાંત્રિક વિધિઓની જાળમાં ફસાવવું નહીં. ઘરમાં કોઈ પણ નાની-મોટી બીમારી હોય તો અંધશ્રદ્ધાના બદલે વૈજ્ઞાનિક રીતે લાયકાત ધરાવતા ડૉક્ટર પાસે જઈને જ ઈલાજ કરાવવો જોઈએ. જો કોઈ વ્યક્તિ કે પરિવાર સાથે ભૂતકાળમાં આવી કોઈ છેતરપિંડીની ઘટના બની હોય, તો તેમણે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જેથી ગુનેગારોને સજા અપાવી શકાય અને નુકસાનની ભરપાઈ કરાવી શકાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic