નડિયાદમાં ‘મિલેટ મહોત્સવ’નું આયોજન, મનપા કમિશનર જી.એચ. સોલંકીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
નડિયાદ: ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ ૨૦૨૩ અંતર્ગત રાજ્યભરમાં બાજરી, જુવાર અને રાગી જેવા જાડા અનાજ (મિલેટ્સ) ના પ્રચાર-પ્રસાર માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત ખેડૂતોને મિલેટની ખેતી માટે પ્રોત્સાહિત કરવા, પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવવા અને મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી નડિયાદ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. […]




