Wednesday, 15 April 2026
  • Home  
  • વડોદરામાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે વોર્ડ 8ના કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલાબેન રાજપૂત દાવેદારીથી અળગા થયા
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરામાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે વોર્ડ 8ના કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલાબેન રાજપૂત દાવેદારીથી અળગા થયા

વડોદરા: ગુજરાતભરમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો પોતાની જીત માટે સારા ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત રોજથી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. ત્યારે આ વચ્ચે વડોદરામાં કોંગ્રેસ માટે એક મુશ્કેલી ઉભી થઈ છે. મળતી વિગતો અનુસાર વડોદરાના વોર્ડ નંબર […]

વડોદરા: ગુજરાતભરમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો પોતાની જીત માટે સારા ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત રોજથી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. ત્યારે આ વચ્ચે વડોદરામાં કોંગ્રેસ માટે એક મુશ્કેલી ઉભી થઈ છે. મળતી વિગતો અનુસાર વડોદરાના વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી લડવાથી ઈનકાર કર્યો છે.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ વોર્ડ નંબર 8 માં કોંગ્રેસ માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ઉર્મિલાબેન રાજપૂતે પોતાની દાવેદારી પાછી ખેંચી લેતા રાજકીય ગલિયારાઓમાં ચર્ચા તેજ બની છે. ઉર્મિલાબેને આ નિર્ણય પાછળ પારિવારિક કારણ આપ્યું છે. તાજેતરમાં જ તેમના સસરાનું નિધન થતા તેઓએ શોકગ્રસ્ત પરિવાર સાથે રહેવા માટે ચૂંટણી જંગમાંથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.

ઉમેદવાર દ્વારા અચાનક પીછેહઠ કરવાને કારણે કોંગ્રેસમાં હવે નવા સક્ષમ ઉમેદવાર માટે મથામણ શરૂ થઈ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, પક્ષ વહેલી તકે નવા ઉમેદવારના નામની જાહેરાત કરશે. વોર્ડ 8 માં આ ફેરફારને કારણે હવે વિરોધ પક્ષે પણ પોતાની ચૂંટણી વ્યૂહરચનામાં ફેરફાર કરવો પડશે. ગત રોજથી ઉમેદવારી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસ માટે આ બેઠક પર મજબૂત પકડ જાળવવી પડકારજનક બની શકે છે.

એક તરફ વોર્ડ 8 માં ઉમેદવાર બદલાયા છે, તો બીજી તરફ કોંગ્રેસે વડોદરાની જનતા માટે પોતાનું વચનપત્ર જાહેર કર્યું છે. વિશ્વામિત્રી નદીમાં ફૂલ અર્પણ કરી કોંગ્રેસના નેતાઓએ કમિટમેન્ટ આપ્યું છે કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો,

  • ફ્રી સીટી બસ સેવા: મહિલાઓ, વડીલો અને વિદ્યાર્થીઓ માટે સીટી બસ સેવા સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવશે.
  • મૂળભૂત સુવિધાઓ: બે ટાઈમ પૂરતું પાણી, ખાડા વગરના રસ્તા અને શહેરના સ્મશાન તથા અતિથિગૃહોનું આધુનિક નવીનીકરણ કરાશે.
  • ગ્રીન વડોદરા: પ્રદૂષણ ઘટાડવા અને દૂષિત હવામાંથી મુક્તિ અપાવવા શહેરમાં ગ્રીન કવર વધારવાનું વિશેષ આયોજન કરવામાં આવશે.

ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે વોર્ડ 8 નો આ ફેરફાર ચૂંટણીના પરિણામો પર કેટલી અસર કરશે તે જોવું રહ્યું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic