અમદાવાદના નારોલ-નરોડા હાઇવે પર ૧૮ દુકાનોમાં વિકરાળ આગ, અફરાતફરીનો માહોલ
ગુજરાતના શહેરોમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે આજે અમદાવાદમાં એક મોટો અગ્નિકાંડ સર્જાયો હતો. શહેરના નારોલ-નરોડા હાઇવે પર, બાપુનગર એપ્રોચ (વિરાટનગર) પાસે આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, શરૂઆતમાં માત્ર બે દુકાનોમાં આગ લાગી હતી, પરંતુ દુકાનોમાં ઓઇલ […]









