Dy. CM હર્ષ સંઘવીએ કચ્છના સરહદી ગામોના લોકોને સજાગ રહેવા અપીલ કરી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારત-પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક-આર્થિક સ્થિતિથી માહિતગાર થવા માટે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના પુનરાજપર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો પ્રારંભ તેમણે માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન-પૂજા-અર્ચન કરીને કર્યો હતો. સરહદી ગ્રામજનો સાથે સંવાદ અને માર્ગદર્શન પુનરાજપર ખાતે ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભેર […]









