Tuesday, 19 May 2026

Tag: Local News

ગુજરાત મધ્ય ગુજરાત

દીકરીઓ ભણશે તો જ દેશ વધશે: આણંદની આદર્શ નિવાસી કન્યા શાળામાં મંત્રી મનીષાબેન વકીલની સરપ્રાઈઝ વિઝિટ

આણંદ: ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી મનીષાબેન વકીલ આણંદ જિલ્લાના પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે આણંદ તાલુકાના બાકરોલ ખાતે આવેલી ‘આદર્શ નિવાસી કન્યા શાળા (અનુસૂચિત જાતિ)’ ની ઓચિંતી મુલાકાત લીધી હતી. મનીષાબેન વકીલે શાળાના પરિસરમાં દરેક વર્ગખંડમાં જઈને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને વહીવટી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ભૂકંપ સંશોધનનો મહાકુંભ: ગાંધીનગરમાં ૯ દેશોના વૈજ્ઞાનિકો મંથન કરશે, અર્જુન મોઢવાડિયાએ કરાવ્યો પ્રારંભ

ગાંધીનગર: દેશ અને દુનિયામાં આવતા ભૂકંપોની સચોટ આગાહી, અર્લી વોર્નિંગ સિસ્ટમ અને બાંધકામોને ભૂકંપ પ્રૂફ બનાવવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ખાતે આજથી ત્રણ દિવસીય ૯મી વૈશ્વિક પરિષદ ‘એડવાન્સિસ ઈન અર્થક્વેક સાયન્સ -૨૦૨૬’ નો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. […]

ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત

કરમસદ-આણંદ મનપામાં ‘પીએમ સ્વનિધિ’નો ઉત્સવ: 80 થી વધુ ફેરિયાઓને લોન અને ક્રેડિટ કાર્ડની ભેટ

આણંદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાના ફેરિયાઓ અને લારી-ગલ્લાવાળાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરાયેલી ‘પીએમ સ્વનિધિ યોજના’ હેઠળ આજે કરમસદ-આણંદ મહાનગરપાલિકા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કેરળના તિરુવનંતપુરમ ખાતેથી વડાપ્રધાનએ દેશના ૧ લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડનો શુભારંભ કરાવ્યો હતો, જેના લાઈવ પ્રસારણને આણંદ મનપાના સભાખંડમાં ૧૦૦થી વધુ ફેરિયાઓએ નિહાળ્યું […]

ગુજરાત દક્ષિણ ગુજરાત મનોરંજન

સુરત: દારૂના નશામાં ચૂર ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે સર્જ્યો અકસ્માત, લોકોએ મેથીપાક ચખાડ્યો

સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર પોતાની કોમેડી અને વીડિયોથી જાણીતો ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર હિરેન પટેલ દારૂના નશામાં ધૂત થઈ કાર હંકારી રહ્યો હતો. આ દરમિયાન તેણે કાર પરનો કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

CMનો કડક મિજાજ : “બાંધકામની ગુણવત્તામાં બાંધછોડ નહીં ચાલે”, નબળા રસ્તા મુદ્દે તપાસના આદેશ

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં વિકાસલક્ષી કામોની ગુણવત્તા મુદ્દે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, રાજ્યમાં થતા કોઈ પણ બાંધકામ કે માર્ગ નિર્માણના કામોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે સંબંધિત વિભાગોના વડાઓને તાકીદ કરી છે કે જનતાના પૈસાનો સદુપયોગ […]

ગુજરાત મધ્ય ગુજરાત

“પાતાળલોક જવું હોય તો સીટીએમ આવો”: રોડની દુર્દશા મુદ્દે AAP નેતાના ભાજપ પર આકરા પ્રહાર

અમદાવાદ: અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા સીટીએમ ચાર રસ્તાની બિસ્માર હાલતને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS ના શહેર પ્રમુખ યાત્રિક પટેલે આજે આ મામલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સીટીએમ રોડ પર પડેલા મોટા ભુવા અને ખાડાઓનો ઉલ્લેખ કરતા વ્યંગાત્મક રીતે જણાવ્યું હતું કે, “જો કોઈને સીધા […]

દેશ-દુનિયા મનોરંજન

‘દિલ ના દિયા…’: કર્તવ્ય પથ પર કુમાઉ રેજીમેન્ટના જવાનોનો અનોખો અંદાજ, વીડિયો વાયરલ

નવી દિલ્હી: ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસની પરેડ માટે દિલ્હીના કર્તવ્ય પથ પર જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. કડકડતી ઠંડી અને શિસ્તબદ્ધ કૂચ વચ્ચે ભારતીય સેનાની કુમાઉ રેજીમેન્ટ (Kumaon Regiment) ના જવાનોનો એક અત્યંત સુંદર વીડિયો સામે આવ્યો છે. પરેડના રિહર્સલ દરમિયાન જ્યારે જવાનોને થોડો આરામ મળ્યો, ત્યારે તેમણે પોતાની પરંપરાગત શિસ્તની સાથે મનોરંજનનો તડકો ઉમેર્યો […]

ગુજરાત મધ્ય ગુજરાત

‘અન્વેષણ’ ૨૦૨૬: વલ્લભ વિદ્યાનગરમાં યુવા સંશોધકોનો મહાકુંભ; સંશોધન હવે ભારતીય દૃષ્ટિકોણથી થશે

વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટી અને એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ (AIU), નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે આજથી બે દિવસીય પશ્ચિમ ઝોન ‘અન્વેષણ’ (ANVESHAN) સ્ટુડન્ટ રિસર્ચ કન્વેન્શનનો ભવ્ય પ્રારંભ થયો છે. યુનિવર્સિટીના નવનિર્મિત ઇપકોવાળા હૉલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભારતના પશ્ચિમ ઝોનના ૭ રાજ્યોની ૨૭ વિવિધ યુનિવર્સિટીઓમાંથી ૩૫૦ થી વધુ સંશોધક વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો પોતાના નવતર પ્રોજેક્ટ્સ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડતાલધામમાં ભક્તિનો ઉમંગ : ૨૦૦મી ‘શિક્ષાપત્રી જયંતી’ અને વસંતપંચમી મહોત્સવનો ભવ્ય પ્રારંભ

વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોચ્ચ ગાદી અને રાજધાની ગણાતા વડતાલધામ ખાતે આગામી તા. ૨૧ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ત્રિ-દિવસીય ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વસંતપંચમીના પાવન પર્વની સાથે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લખાયેલી શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. ૨૦૦ વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે વડતાલના હરિ મંડપમાં બેસીને સમગ્ર માનવજાત માટે […]

ગુજરાત મધ્ય ગુજરાત

મહી નદીના કિનારે આસ્થાનું ઘોડાપૂર: રબારી અને ગોપાલક સમાજે દૂગ્ધાભિષેક કરી ઉજવ્યો ‘મહી બીજ’ ઉત્સવ

વાસદ: ભારતીય સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા ગણી પૂજવાની પરંપરા સદીઓ જૂની છે. આ પરંપરાનું જીવંત ઉદાહરણ આજે આણંદ અને વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના કાંઠે જોવા મળ્યું હતું. મહા સુદ બીજના પવિત્ર દિવસે રબારી અને ગોપાલક સમાજ દ્વારા ‘મહી બીજ’ ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. વાસદ, વહેરાખાડી અને ફાજલપુરના મહી કાંઠે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic