Thursday, 11 June 2026

Tag: PM Modi

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

અમદાવાદમાં ભારત-જર્મનીની મૈત્રીના ‘સપ્તરંગી’ દર્શન : PM મોદી અને ચાન્સેલર મેર્ઝએ ચગાવ્યા પતંગ

અમદાવાદ: ભારતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાબરમતી નદીના તટે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ગાંધીજીના નિવાસસ્થાન ‘હૃદયકુંજ’ની મુલાકાત લઈ રેંટિયો કાંતવાની પ્રક્રિયા નિહાળી હતી. ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન અને આત્મનિર્ભરતાના સંદેશ પ્રત્યે […]

ગુજરાત દેશ-દુનિયા સૌરાષ્ટ્ર

સોમનાથની કાયાપલટ : પીએમ મોદીના આગમન પૂર્વે ૧૦૦૦થી વધુ કર્મયોગીઓએ સોમનાથને કર્યું ઝાકઝમાળ

સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૦ અને ૧૧ જાન્યુઆરી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર પધારવાના છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ ૨૦૨૬’ ને યાદગાર બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. સમગ્ર સોમનાથ અત્યારે ભક્તિમય અને શિવમય બન્યું છે, ત્યારે આ પવિત્રતાને જાળવી રાખવા માટે સફાઈ […]

ગુજરાત સૌરાષ્ટ્ર

સોમનાથ સ્વાભિમાન પર્વ : PM નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સોમનાથમાં દિવ્ય માહોલ

સોમનાથ: ગીર સોમનાથના પવિત્ર સાનિધ્યમાં આયોજિત ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે આજે સોમનાથમાં એક અત્યંત ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ગિરનાર તીર્થક્ષેત્રના નામી-અનામી સાધુ-સંતોએ એકત્ર થઈને સોમનાથના શંખચોકથી ભગવાન મહાદેવના મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ડમરૂના નાદ અને ઢોલના તાલે ભક્તિની હેલી […]

ગુજરાત દેશ-દુનિયા

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન જાન્યુઆરીમાં થશે લોન્ચ, જાણો ટિકિટના દર અને શાનદાર સુવિધાઓ

નવી દિલ્હી: ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે સત્તાવાર જાહેરાત કરી છે કે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન જાન્યુઆરી ૨૦૨૬માં લોન્ચ કરવામાં આવશે. આ પ્રીમિયમ ટ્રેન સેવા પૂર્વ ભારતના બે મહત્વના શહેરો ગુવાહાટી અને કોલકાતા વચ્ચે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૭ કે ૧૮ જાન્યુઆરીની […]

દેશ-દુનિયા

સાઉદી અરેબિયામાં બસ દુર્ઘટના, ભારતીય યાત્રાળુઓના મોતથી દેશભરમાં શોક

સાઉદી અરેબિયાના મદિનાહ નજીક ઉમરાહ યાત્રીઓ સાથે બનેલી એક ભયાનક માર્ગ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૪૫ ભારતીય યાત્રાળુઓના મોતની આશંકા છે. આ ગોઝારી ઘટના સોમવારે (નવેમ્બર ૧૭, ૨૦૨૫) મોડી રાત્રે મુફરીહાત નજીક બની હતી, જ્યારે મક્કાહથી મદિનાહ જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના ભારતીય સમય અનુસાર લગભગ ૧.૩૦ વાગ્યે બની હતી. દુર્ઘટનાગ્રસ્ત […]

ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ પૂર્ણ : વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના, મેયરે આપી વિદાય

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનો તેમનો બે દિવસનો સત્તાવાર પ્રવાસ પૂર્ણ કર્યો છે. એકતાનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ, તેઓ આજે વડોદરા એરપોર્ટ પરથી હવાઈ માર્ગે દિલ્હી જવા માટે રવાના થયા હતા. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન, વડાપ્રધાને મુખ્યત્વે એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે રાષ્ટ્રીય એકતા દિવસ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

એકતાનગર : PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી

રાષ્ટ્રને એકતાંતણે બાંધનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં એકતાનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શક્તિ, કૌશલ્ય અને શિસ્તનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. નારીશક્તિની આગેવાની અને શિસ્તબદ્ધ પ્રદર્શન: આ વર્ષની રાષ્ટ્રીય એકતા પરેડની સૌથી નોંધનીય બાબત એ હતી કે […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

એકતાનગરમાં ધોધમાર વરસાદ: PM મોદીના કાર્યક્રમો પર માવઠાનું વિઘ્ન, સ્થળે પાણી ભરાયા

નર્મદા: ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ એકતાનગર (કેવડિયા) ખાતે આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદનું જોર યથાવત્ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોના થોડા સમય પહેલાં જ ધોધમાર વરસાદ શરૂ થતાં આયોજકો અને તંત્ર ચિંતામાં મુકાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે લગભગ 7 વાગ્યે એકતાનગર ખાતે પહોંચવાના છે. તેમના આગમન પહેલાં જ વરસી રહેલા ભારે વરસાદને […]

ગુજરાત મધ્ય ગુજરાત

કમોસમી વરસાદને કારણે PM મોદીએ બદલ્યો પ્રવાસ: વડોદરાથી એકતાનગર હવે ‘બાય રોડ’ જશે

નર્મદા/વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં હવામાનના કારણે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલા કમોસમી અને ભારે વરસાદના વાતાવરણને કારણે, વડોદરાથી એકતાનગર (કેવડિયા) સુધી હેલિકોપ્ટર ઉડી શકે તેવી શક્યતા ન હોવાથી, વડાપ્રધાન હવે બાય રોડ પ્રવાસ કરવા માટે રવાના થયા છે. આ નિર્ણયને પગલે પ્રધાનમંત્રી મોદી હવે વડોદરા એરપોર્ટ પરથી ઉતરાણ કર્યા બાદ, […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

વડોદરામાં ૧૭મો રોજગાર મેળો :૮૬ ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા

વડોદરા શહેર આજે ૧૭મા રોજગાર મેળાનું યજમાન બન્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા, જ્યારે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ રોજગાર મેળામાં વડોદરાના ૮૬ ઉમેદવારોને રોજગારના અવસર મળ્યા હતા. દેશભરમાં આજે ૪૦ સ્થળોએ એકસાથે રોજગાર મેળા યોજાયા, જેમાં કુલ ૫૧ હજારથી વધુ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic