કરમસદ-આણંદ મનપાની ખાસ સવલત : માર્ચ મહિનામાં રવિવાર અને જાહેર રજાના દિવસે પણ ટેક્સ ઓફિસો ખુલ્લી રહેશે
આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના અંતિમ માસ માર્ચ દરમિયાન વેરા વસૂલાતની પ્રક્રિયાને વેગ આપવા માટે એક સ્તુત્ય નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા કમિશનરની સૂચના મુજબ, માર્ચ મહિનામાં આવતા તમામ રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ ટેક્સ વિભાગની કચેરીઓ ખુલ્લી રાખવામાં આવશે. આ નવી સવલતના પ્રથમ રવિવારના રોજ જ જાગૃત નગરજનોએ ઉત્સાહપૂર્વક ₹2.48 […]









