ગુજરાતના ગૌરવને અપાવો જીત: કર્તવ્ય પથ પર ‘વંદે માતરમ્’ ટેબ્લોને વોટિંગ કરી વિજેતા બનાવવાની છેલ્લી તક
ગાંધીનગર: ભારતના 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના ઐતિહાસિક કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ગુજરાતના ટેબ્લોએ (ઝાંખી) આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. આ વર્ષે ગુજરાત દ્વારા “સ્વતંત્રતા કા મંત્ર: વંદે માતરમ્” વિષય પર આધારિત અદભૂત ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ ટેબ્લોમાં ભારતની આઝાદીના લડવૈયાઓ અને ‘વંદે માતરમ્’ મંત્ર દ્વારા જાગૃત થયેલી રાષ્ટ્રીય ચેતનાને કલાત્મક રીતે […]









