Blog

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદના આંગણે દેશભક્તિનો ઉત્સવ: અક્ષર ફાર્મમાં ‘મેરા ભારત મહાન’ પ્રોજેક્શન શોનો ભવ્ય પ્રારંભ

આણંદ: ચરોતરની ધરતી પર ફરી એકવાર ભક્તિ અને દેશભક્તિનો માહોલ જામ્યો છે. બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની જન્મજયંતી તથા ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ઉપક્રમે આણંદના અક્ષર ફાર્મ ખાતે “મેરા ભારત મહાન” પ્રોજેક્શન શોનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે આયોજિત આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિએ વિશેષ આકર્ષણ […]

દેશ-દુનિયા

ભાજપ શાસિત મનપાએ જ ભાજપને ફટકાર્યો રૂ.20 લાખનો દંડ!, જાણો સમગ્ર મામલો

તિરુવનંતપુરમ: કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં એક અત્યંત આશ્ચર્યજનક અને દુર્લભ ઘટના સામે આવી છે. તિરુવનંતપુરમ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં, મનપા સચિવે ભાજપની જ શહેર જિલ્લા સમિતિને ₹19.7 લાખનો મસમોટો દંડ ફટકાર્યો છે. આ દંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની મુલાકાત દરમિયાન શહેરના જાહેર માર્ગો અને ફૂટપાથ પર મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ફ્લેક્સ બોર્ડ, ઝંડા અને બેનરો […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતનું ગૌરવ : ત્રણ રત્નોને પદ્મ પુરસ્કારની જાહેરાત; જાણો કોણ છે આ મહાનુભાવો

પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પૈકીના એક એવા ‘પદ્મ પુરસ્કારો’ની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2026 માટે જાહેર થયેલી યાદીમાં ગુજરાતના ત્રણ મહાનુભાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે પસંદગીમાં ખાસ બાબત એ રહી છે કે જે લોકો જમીન સાથે જોડાયેલા છે અને વર્ષોથી શાંતિપૂર્વક સમાજસેવા કે કલાના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન આપી રહ્યા […]

દેશ-દુનિયા મનોરંજન

Actor Dhanush-Mrunal Thakur Wedding : ધનુષ અને મૃણાલ ઠાકુરના ‘ગુપ્ત લગ્ન’નો ફોટો વાયરલ…!

તમિલ સુપરસ્ટાર અને રજનીકાંતના પૂર્વ જમાઈ ધનુષ ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યા રજનીકાંત સાથેના છૂટાછેડા બાદ ધનુષના બીજા લગ્નની વાતો અવારનવાર થતી રહે છે, પરંતુ આ વખતે બોલિવૂડ અને સાઉથની સુંદર અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે તેનું નામ જોડાતા ફેન્સ આશ્ચર્યમાં મુકાયા છે. ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત

થરાદ ખાતે નવસર્જિત વાવ-થરાદ જિલ્લાના સેવા સદનનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન

થરાદ: ઉત્તર ગુજરાતના નવસર્જિત વાવ-થરાદ જિલ્લાના નાગરિકો માટે આજે ઐતિહાસિક દિવસ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ ખાતે અંદાજે ₹70 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન ‘જિલ્લા સેવા સદન’નું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 39 એકરમાં વિસ્તરેલું ‘ગ્રીન બિલ્ડિંગ’ આ નવું […]

ઉત્તર ગુજરાત ગુજરાત

શામળાજીમાં પ્રકૃતિના આશીર્વાદ : વસંત પંચમીએ અરવલ્લીની ગિરિમાળાઓમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી ‘પર્વત પૂજા’

શામળાજી: વસંત પંચમીના પાવન અવસરે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ‘પર્વત પૂજા અને પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ’નો શાનદાર પ્રારંભ થયો હતો. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી અરવલ્લીની ગિરિમાળાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આબોહવા પરિવર્તનના પડકારો સામે લડવા જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતને મળી વધુ એક ‘બ્રિજ’ની ભેટ : કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે રૂ.34 કરોડના ફ્લાયઓવરનું કર્યું લોકાર્પણ

સુરત: બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરાઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ભીમરાડથી સિદ્ધાર્થનગર થઈ ડીંડોલીને જોડતા માર્ગ પર ₹34 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ શરૂ થવાથી દક્ષિણ સુરતના હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે. બ્રિજની […]

ગુજરાત મધ્ય ગુજરાત

દીકરીઓ ભણશે તો જ દેશ વધશે: આણંદની આદર્શ નિવાસી કન્યા શાળામાં મંત્રી મનીષાબેન વકીલની સરપ્રાઈઝ વિઝિટ

આણંદ: ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી મનીષાબેન વકીલ આણંદ જિલ્લાના પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે આણંદ તાલુકાના બાકરોલ ખાતે આવેલી ‘આદર્શ નિવાસી કન્યા શાળા (અનુસૂચિત જાતિ)’ ની ઓચિંતી મુલાકાત લીધી હતી. મનીષાબેન વકીલે શાળાના પરિસરમાં દરેક વર્ગખંડમાં જઈને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને વહીવટી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ભૂકંપ સંશોધનનો મહાકુંભ: ગાંધીનગરમાં ૯ દેશોના વૈજ્ઞાનિકો મંથન કરશે, અર્જુન મોઢવાડિયાએ કરાવ્યો પ્રારંભ

ગાંધીનગર: દેશ અને દુનિયામાં આવતા ભૂકંપોની સચોટ આગાહી, અર્લી વોર્નિંગ સિસ્ટમ અને બાંધકામોને ભૂકંપ પ્રૂફ બનાવવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ખાતે આજથી ત્રણ દિવસીય ૯મી વૈશ્વિક પરિષદ ‘એડવાન્સિસ ઈન અર્થક્વેક સાયન્સ -૨૦૨૬’ નો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. […]

ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત

કરમસદ-આણંદ મનપામાં ‘પીએમ સ્વનિધિ’નો ઉત્સવ: 80 થી વધુ ફેરિયાઓને લોન અને ક્રેડિટ કાર્ડની ભેટ

આણંદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાના ફેરિયાઓ અને લારી-ગલ્લાવાળાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરાયેલી ‘પીએમ સ્વનિધિ યોજના’ હેઠળ આજે કરમસદ-આણંદ મહાનગરપાલિકા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કેરળના તિરુવનંતપુરમ ખાતેથી વડાપ્રધાનએ દેશના ૧ લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડનો શુભારંભ કરાવ્યો હતો, જેના લાઈવ પ્રસારણને આણંદ મનપાના સભાખંડમાં ૧૦૦થી વધુ ફેરિયાઓએ નિહાળ્યું […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic